એક તરફ રાજ્યમાં પાણીની તંગી છે, ત્યારે બીજી તરફ નર્મદા કેનાલમાં બેફામ પાણી ચોરી થઇ રહી છે. આ મામલે અગાઉ કાયદો બનવવા મંત્રી બાવળિયાને રજૂઆત પણ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મંત્રી બાવળિાયને રજૂઆત કરી હતી. પાણી પુરવઠા વિભાગના રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે કે, કાયદો ન હોવાથી ચોરી કરનારને કોઇ ડર રહેતો નથી. રાજકીય વગ ધરાવતા લોકો ગેરફાયદો ઉઠાવીને પાણી ચોરી કરી રહ્યાં છે.