24 જાન્યુઆરી 2023નાં ભારતે નેપાળ સીમા પર આવેલા ભૂકંપનો એલર્ટ દેહરાદૂનમાં રહેલા લોકોને એપની મદદથી 45 સેકેન્ડ પહેલા નોટિફિકેશન આપીને પહોંચાડ્યો હતો.
ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી શાનદાર એપ
ભૂકંપ આવ્યાં પહેલાં જ કરશે લોકોને એલર્ટ
170 સેન્સર લગાવી ડિટેક્ટ કરશે ભૂકંપ
ભારતીય વૈજ્ઞાનિકોએ એક અર્થક્વેક અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસિત કરી છે. IIT રૂડકી દ્વારા વિકસિત કરવામાં આવેલી આ સિસ્ટમ આશરે 45 સેકન્ડ પહેલાં એલર્ટ જાહેર કરી શકે છે જેના લીધે લોકો સાવધાન થઈ શકે છે. આ સિસ્ટમએ 8 નવેમ્બર 2022નાં 5.8 મેગ્નિટ્યૂડનો પહેલો કેસ ડિટેક્ટ કર્યો હતો જે નેપાળનો ભૂકંપ હતો. દેહરાદૂનમાં 45 સેકન્ડ પહેલા વોર્નિંગ આપી દેવાઈ હતી. 12 નવેમ્બરનાં નેપાળમાં 5.4 મેગ્નિયૂડનો બીજો ભૂકંપ હતો આ સાથે જ 24 જાન્યુઆરી 2023નાં ભારતે નેપાળ સીમા પર આવેલા ભૂકંપનો એલર્ટ દેહરાદૂનમાં રહેલા લોકોને એપની મદદથી 45 સેકેન્ડ પહેલા નોટિફિકેશન આપીને પહોંચાડ્યો હતો.
170 સેંસર લગાવવામાં આવ્યાં છે
અર્થક્વેક અર્લી વોર્નિંગ સિસ્ટમ એક એવો પ્રોજેક્ટ છે જેને દેશનાં વૈજ્ઞાનિકોએ ભારતીય પરિસ્થિતિઓનાં હિસાબે વિકસિત કરવામાં આવી છે. ભૂકંપનાં ભયમાં રહેનારાં ઉત્તરાખંડનાં સામાન્ય લોકો માટે આ સિસ્ટમ ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. જે સમય પર વોર્નિંગ દઈને કિંમતી જીવ બચાવી શકે છે. IIT રૂડકી દ્વારા વિકસિત કરવામાં આવેલી આ સિસ્ટમમાં ઉત્તરાખંડથી લઈને નેપાળ સીમા સુધી 170 સેંસર લગાવવામાં આવ્યાં છે. ગયાં વર્ષે નવેમ્બરથી અત્યાર સુધીમાં 3 વખત આ સિસ્ટ ભૂકંપ આવ્યાનાં આશરે 45 સેકન્ડ પહેલાં વોર્નિંગ આપે છે.
ડેટા એક સેંટ્રલ સર્વરમાં રેકોર્ડ થાય છે
IIT રુડકીનાં વૈજ્ઞાનિક ડો.પંકજ કુમાર અનુસાર ઉત્તરાખંડની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમને વિકસિત કરવામાં આવ્યું છે. જ્યાં ભૂકંપ આવવાની આશંકા ઘણી વધારે રહે છે અને જાનમાલનાં નુક્સાનનો ભય પણ રહે છે. જે જે જગ્યાઓ પર સેન્સર લાગ્યાં હોય છે ત્યાંનો ડેટા એક સેંટ્રલ સર્વરમાં રેકોર્ડ થાય છે અને જેનું આંકલન થયા બાદ તરત જ વોર્નિંગ જાહેર કરે છે. સેસ્મિક સેન્સરથી સેસ્મિક ડેટાને રેકોર્ડ કરવામાં આવે છે પછી તેની મદદથી અર્લી વોર્નિંગ સિસ્ટમ ડેવલોપ થાય છે. ડેટા સર્વર પર જાય છે, એનાલિઝિઝ થાય છે અને પછી વોર્નિંગ આપવામાં આવે છે.
લોકોને પહોંચાડે છે નોટિફિકેશન
શરૂઆતી સ્તર પર આ સિસ્ટમ ઉત્તરાખંડ માટે બનાવવામાં આવ્યું હતું જે એક ખાસ એપ સાથે કનેક્ટેડ છે. આ એપને ઉત્તરાખંડનાં પ્રશાસનનાં સામાન્ય લોકો માટે બનાવાયું છે જેનાથી તેમને આપત્તિથી બચાવી શકાય. એપથી લોકોને એલર્ટ જાય છે.