રિહાન્નાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યુ અને બાદમાં મોટો વિવાદ થયો તેમ છતાં ભારતે તેની હરકતને નજરઅંદાજ કરીને પોપસ્ટારના દેશ બારબાડોઝને 1 લાખ કોરોના વેક્સિન મોકલી છે.
બારબાડોસના પ્રધનમંત્રી મિયા અમોર મોલ્લાએ 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને કોરોના વેક્સિનનું ઉદાર દાન આપવા બદલ તેમણે ભારતનો આભાર વ્યક્ત કર્યો
બારબાડોસની પૉપ સિંગર રૉબિન રિહાના ફેન્ટીએ કરેલી ટ્વીટે આખા વિશ્વની નજર ભારતના ખેડૂત આંદોલનના વિરોધ પ્રદર્શન પર કેન્દ્રિત કરી છે. ભારત સરકાર રિહાનાની આ ટ્વીટની અવગણના કરીને પણ પોતે કરેલા કમિટમેન્ટને પૂરુ કર્યુ છે. ભારતે 1 લાખ કોરોના વેક્સિનને બારબાડોસમાં મોકલી છે, ત્યાંના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર માદીનો આભાર માન્યો છે.
4 ફેબ્રુઆરીએ પીએમ મોદીને બારબાડોસના પ્રધાનમંત્રીએ પત્ર લખ્યો. જેમાં તેમણે કહ્યું મારી સરકાર અને મારા દેશવાસીઓની તરફથી હું તમને, તમારી સરકારને અને તમારા નાગરીકોનો વેક્સિનના દાન આપવા બદલ આભાર માનું છું. બારબાડોસના પ્રધાનમંત્રીએ થોડા દિવસ પહેલા જ પ્રધનમંત્રી મોદીને પત્ર લખીને કૈરેબિયન રાષ્ટ્રના માટે ભારત વેક્સિન આપવાની માંગણી કરી હતી.
ભારતની વેક્સિનની દુનિયામાં માગ
ભારતમાં બનાવાતી કોરોના વેક્સિનની માગ વિશ્વના કેટલાંય દેશમાં સપ્લાય થાય છે. નેપાલ, શ્રીલંકા, બાંગલાદેશને કોરોના વેક્સિન મોકલ્યા બાદ હવે બીજા દેશમાં આપવાની તૈયારી કરી રહેયું છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું , થોડા દિવસમાં આપણે ઓમનને 1 લાખની માત્રા, કેરીકોમના દેશોને 5 લાખ, નિરાકગુઆને 2 લાખ અને પ્રશાંત ટ્વીપ રાજ્યને 2 લાખની વેકિસન આપવાની યોજના બનાવી છે.