દાપોલી મહારાષ્ટ્રનું એક નાનકડુ હિલ સ્ટેશન છે. અહીં આખુ વર્ષ મોસમ ઠંડુ રહે છે. અહીં ઘણા કિલ્લા, મંદિર અને ગુફાઓ છે, જે પર્યટકોને આકર્ષે છે. અહીંનો મોસમ આખુ વર્ષ ખુશનુમા હોય છે. આ કારણે દાપોલીને મિનિ મહાબળેશ્વર કહેવાય છે.
મહારાષ્ટ્રમાં સુંદર બીચ અને મંદિરોનું શહેર દાપોલી એટલે મિનિ મહાબળેશ્વર
અહીંનો મોસમ આખુ વર્ષ ખુશનુમા હોય છે
અહીંનો માહોલ ખુબ જ શાંતિ ભરેલો છે
કેટલીયે મહાન હસ્તીઓ જેમ કે લોકમાન્ય તિલક, સાને ગુરુજી, ઢોંડો, મહર્ષિ કેશવ કાર્વે અને પરંજાપેનો આ નિવાસ રહ્યો છે. અહીં ઘણા બીચ, ધરોહર સ્થળ અને ઐતિહાસિક ઇમારતો છે. આ ઉપરાંત અહીંનુ સી ફુડ્સ પણ સ્વાદિષ્ટ હોવાના કારણે મશહુર છે. વીકેન્ડ હોલિડે માટે પણ આ જગ્યા સારી છે. અહીંના કેટલાક મુખ્ય સ્થાનો વિશે જાણવા જેવું છે
કેશવરાજ મંદિર
આ મંદિર પેશવા શૈલીની વાસ્તુકળાનો નમુનો છે. અહીંનો માહોલ ખુબ જ શાંતિ ભરેલો છે. કેશવરાજ સુધી એક નાનકડો રસ્તો જાય છે જે નારિયેળ, સોપારી, કેરી અને કાજુના ઝાડની વચ્ચેથી પસાર થાય છે.
પ્રાકૃતિક ગીઝર
અહીં ગરમ પાણીનું એક ઝરણુ છે, જેના પાણીમાં ગંધકની ખુશ્બુ આવે છે. આ પાણી ગંધકના ભુમિગત ઢગલામાંથી પસાર થાય છે. એવું કહેવાય છે કે આ પાણીમાં ઔષધીય ગુણ હોય છે, જે ત્વચાની બિમારી દુર કરે છે.પાસે જ ગાઢ જંગલ, બાજુની પહાડી પર ભગવાન શિવનું મંદિર અને નાનકડી નદી આ ભૌગોલિક ક્ષેત્રને સુંદરતા પ્રદાન કરે છે.
હરનોઇ પોર્ટ અને બીચ
જ્યારે તમે લેમ્પ પોસ્ટથી પસાર થશો ત્યારે તમે ફતેહગઢનો કિલ્લો, કનકદુર્ગ અને સ્વર્ણદુર્ગ જોઇ શકશો. સમગ્ર કોંકણ તટ પર હરનાઇ લેમ્પ પોસ્ટ સૌથી જુનુ અને મહત્ત્વનુ લાઇટ હાઉસ છે. તમે લેમ્પ પોસ્ટ પાસે ઉભા રહીને વચ્ચેનો નજારો અને સમુદ્રમાં લંગર નાખેલા જહાજ જોઇ શકો છો.
ગણેશ મંદિર
દાપોલી તાલુકાના અંજારલે ગામમાં એક ગણેશ મંદિર છે, જેને કાદીવાર્ચા ગણપતિ કહેવાય છે. અંજારલે જોગ નદી પર આવેલો નાનકડો પોર્ટ છે. અહીંનુ ગણેશ મંદિર સમગ્ર કોંકણ ક્ષેત્રમાં ખુબ જ પ્રસિધ્ધ છે. આ મંદિર 12મી સદીમાં બન્યુ હતુ. વર્ષ 1630થી આ મંદિરની દેખરેખ નિસ્ચર પરિવાર કરે છે. ઉંચાઇ પર આવેલા મંદિર સુધી જવા માટે પત્થરની સીડીઓ છે.
કેવી રીતે પહોંચશો
દાપોલી તમે હવાઇ, રેલ અને સડક માર્ગથી જઇ શકો છો. હવાઇ માર્ગથી જવા માટે રત્નાગિરી ડોમેસ્ટીક એરપોર્ટ સૌથી નજીક 127 કિમીના અંતરે છે. રેલ્વે માર્ગે જવા માટે ખેડ રેલ્વે સ્ટેશન દાપોલીથી 29 કિમી દુર છે. રોડથી જવુ સૌથી સરળ છે. દાપોલી મુંબઇથી લગભગ 220 કિલોમીટર અને પુણેથી 185 કિમીના અંતરે છે.