જો તમને પણ સ્કીન પર લાલ ધબ્બા થઇને ખંજવાળ આવતી હોય તો ઇગ્નોર ન કરતા, હોય શકે સોરાયસિસનાં લક્ષણો. જાણો શું છે આ બીમારી અને તેનાંથી બચવાના ઉપાયો
શું તમને પણ સ્કીન પર લાલ ધબ્બા થઇ ખંજવાળ આવે છે?
આ સોરાયસિસ નામની બીમારીના લક્ષણો છે
જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન
શું તમને પણ સ્કીન પર લાલ ધબ્બા થઇ ખંજવાળ આવે છે?
ઘણીવાર ઘણા લોકોની સ્કીન પર લાલ ધબ્બા પડી જાય છે અને ત્યાં ખંજવાળ પણ આવે છે. લોકો તેને સ્કીનની કોઈ મ્મામૂલી સમસ્યા માનીને ઇગ્નોર કરે છે, પરંતુ ડોકટરોનું કહેવું છે કે સોરાયસિસની બીમારી હોય છે, જે ધીરે ધીરે આખા શરીરમાં ફેલાય શકે છે. આવામાં જરૂરી છે કે જો કોઈ આવી સમસ્યા છે તો તેને ઇગ્નોર ન કરો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ખાનપાન અને લાઈફસ્ટાઈલમાં અમુક ફેરફારો કરીને પણ આ બીમારીને કંટ્રોલ કરી શકાય છે. જોકે આ બીમારી સંપૂર્ણ રીતે જતી તો નથી, પરંતુ તેને વધતા રોકી શકાય છે.
ડોકટરો અનુસાર, સોરાયસિસ એક ઓટોઈમ્યૂન બીમારી છે. એટલે કે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાને કારણે આ બીમારી થાય છે. સ્કીન પર લાલ ધબ્બા પડી જાય છે. આ બીમારીમાં વ્યક્તિને અચાનકથી ખંજવાળ આવવા લાગે છે અને સ્કીન સોજી જાય છે. આ તકલીફ મોટેભાગે હાથ, ઘૂંટણ, પીઠ અને કોણી પર થાય છે. ઘણા દર્દીઓમાં તો નખનો રંગ પણ બદલવા લાગે છે. આ બીમારીને કાબૂ કેવા માટે ખાનપાન પર ધ્યાન આપવું પડે છે. જે લોકોને સોરાયસિસની સમસ્યા છે તેમણે ફેટ અને પ્રોસેસ્ટ ફૂડ લેવાથી બચવું જોઈએ.
જેનેટિક પણ હોય શકે છે આ બીમારી
આ બીમારી જેનેટિક કારણોને કારણે પણ થાય છે. ઘણી વાર વાતાવરણમાં ફેરફારને કારણે પણ લોકો આ બીમારીના શિકાર બને છે. આ જ કારણ છે કે શીયાળામાં સોરાયસિસનાં વધારે મામલાઓ સામે આવે છે. વિટામિન ડીની ઉણપને કારણે આ બીમારી થાય છે. જે લોકોને પહેલાથી જ સોરાયસિસની સમસ્યા છે, તેમણે નિયમિત રૂપથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
આ બાબતોનું રાખો ધ્યાન
સોરાયસિસથી બચવા માટે જરૂરી છે કે સ્કીનને ડ્રાય ન થવા દો. કોશિશ કરો કે સ્કીન પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. જો તમે દારૂ પીવો છો કે ધુમ્રપાન કરો છો, તો ઓછું કરી દો. ખુદને તણાવથી દૂર રાખો. કેમકે સોરાયસિસ જેવી સમસ્યા માનસિક તણાવથી વધી શકે છે. સ્ટ્રેસ ઓછો કરવા માટે યોગનો પણ સહારો લઇ શકાય. જો પરફ્યૂમ લગાવો છો, તો તેના ઉપયોગથી બચો.