શનિવારના દિવસે શનીદેવની પૂજા કરવાથી દરેક કષ્ટ દૂર થઇ જાય છે.
શનીની સાડાસાતી થઇ જશે દૂર
શનીની પૂજા અર્ચના કરવાથી લાભ
શનિવારના દિવસે કરવી પૂજા
શનિવારે શનીદેવની પૂજા કરીએ તો સાડાસાતી દૂર થાય છે. કહેવામા આવે છે કે શનિદોષમાંથી મુક્તિ માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારના આરંભથી સાત શનીવાર સુધી વ્રત રાખીને પૂજા કરવાથી તમારા પરથી સાડાસાતી દૂર થાય છે.
પૂર્ણ નિયમઅનુસાર પૂજા અને વ્રત કરવાથી શનીદેવની કૃપા થાય છે અને બધા જ દુઃખ દુર થઇ જાય છે. મનુષ્ય પર કેટલાક પ્રકારના દોષ લાગેલા હોય છે અને જ્યારે પણ શનીદેવનો મંત્રજાપ કરતા હોય તો પશ્ચિમ દિશા તરફ બેસીને કરવું જોઇએ. શનીદેવની પૂજા કરનારા વ્યક્તિએ ધ્યાન રાખવું જોઇએ કે તે અસ્વચ્છ અવસ્થામાં ન હોય. પૂજા વખતે સાફ સફાઇનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે.
શનીદેવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ
શનીદેવની પૂજામાં કાળા કે વાદળી રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. શનિદેવની પૂજામાં ક્યારેય પણ લાલ રંગનુ કંઇ જ ન ચડાવો. લાલ કપડુ કે લાલ ફૂલ કંઇ પણ હોય તેને પૂજાથી દૂર રાખો. કારણકે લાલ વસ્તુઓ મંગળગ્રહથી સંબંધિત છે અને મંગળને શનીનો શત્રુ માનવામાં આવે છે.