નવરાત્રી દરમિયાન પાવાગઢમાં મોટી સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓ માટે એક આંચકારૂપ સમાચાર.પંચમહાલ જિલ્લા કલેકટરે પાવાગઢમાં ખાનગી વાહનોની અવર-જવર પર મુક્યો પ્રતિબંધ.
નવરાત્રીને લઇ પાવાગઢને લઇ લેવાયો નિર્ણય
ખાનગી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
20 ઓક્ટોબર સુધી પ્રતિબંધ રહેશે અમલી
માં આધ્યાશક્તિના પાવન પર્વ નવલા નોરતાનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે પાવાગઢમાં મોટી સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓ માટે એક આંચકારૂપ સમાચાર છે. જિલ્લા કલેકટરે પાવાગઢમાં ખાનગી વાહનોની અવાર-જવર પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ 20 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
કોરોના સંક્રમણને લઈને પાવાગઢ મંદિરમાં પ્રક્ષ દર્શન બંધ હતા.ત્યાર બાદ,જન્માષ્ટમીનાં તહેવારો દરમિયાન યાત્રાધામોમાં ભારે ભીડ ઉમટી હતી. જેમાં પાવાગઢ મંદિરનો પણ સમાવેશ થતો હતો.છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે શ્રદ્ધાળુઓની અવર-જવર ઓછી હતી.પરંતુ હવે બધું નોર્મલ થઇ રહ્યું છે ત્યારે, ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અને માતાજીના મંદિર પર શ્ર્ધાળુઓ ઉમટશે. દરમિયાન પંચમહાલ જિલ્લા કલેકટરે આદેશ આપતા ખાનગી વાહનો પર પ્રતિબંધ મુક્યો છે. આગામી 20 ઓક્ટોબર સુધી આ પ્રતિબંધ જારી રહેશે.
સામાન્ય રીતે એવું મનાય છે કે, ખાનગી વાહનો એટલે જે છકડા જેવા વ્હીકલ હોય અને ઓછામાં ઓછા 8 -10 લોકોને વહન કરીને લઇ જતા હોય તેવા પેસેન્જર્સ વાહનો પર પ્રતિબંધ હશે.પરંતુ એવું નથી.તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિવર્ષ આ જ પ્રકારનો પ્રતિબંધ મુકાતો હોય છે. એટલે પારિવારિક રીતે જતા શ્રદ્ધાળુઓ માટે આ નિયમ લાગુ પડશે. ધાર્મિક સ્થળો પાસે આવા ખાનગી વાહનો ભારે પ્રમાણમાં ખડકાતા હોવાના કારણે પાર્કિંગની સમસ્યા વિકટ સર્જાતી હોય છે અને કોરોના સંક્રમણ પણ પ્રસરવાનો ભય રહે છે.