સુરતમાં અલ્પેશ કથીરીયાની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે અપ્લેશ કથીરીયાને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. જેથી અલ્પેશને લાજપોરની જેલમાં મોકલવામાં આવ્યો છે.
આ મામલે આગામી 22 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે કોર્ટમાંથી બહાર આવતા સમયે અલ્પશ કથિરીયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જીવતા રહીશું તો ફરી મળીશું. મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથીરીયાના જામીન રદ્દ કર્યા હતા.
તેમ છતાં તે હાજર નહોતો થયો. જોકે અલ્પેશ કથીરીયા કોર્ટ સમક્ષ હાજર ન થતાં આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી એક વખત ધરપકડ કરી હતી. મિત્ર આશિષ વધાસિયાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમબ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે અલ્પેશ કથીરીયાએ ક્રાઈમ બ્રાન્ચમાં જઈને દાદાગીરી કરી હતી અને રાજગદ્રોહના કેસમાં કોર્ટે જામીન પણ રદ્દ કર્યા હતા તે બાદ અલ્પેશ કથીરિયાએ હાઈકોર્ટમાં કાયમી જામીન માટે અરજી દાખલ કરી હતી.