હવે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં બહુ સમય બાકી નથી. 10 નવેમ્બરની સવારથી ટ્રેન્ડસ આવવાનું શરૂ થઈ જશે. જોકે, RJD નેતાઓને એક્ઝિટ પોલના ટ્રેન્ડ જોઇને વિજયનો પાક્કો વિશ્વાસ છે. ચૂંટણીના પરિણામો પૂર્વે જ મોકામાના 'છોટે સરકાર' અનંત સિંહ ના વિજય માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
બિહારના બાહુબલી નેતાના ઘરે લાગ્યા પંડાલ
ચૂંટણી પરિણામો પહેલા જ કરવામાં આવી જશ્નની તૈયારી
વિજય મળશે તો ૧૫૦૦૦ જેટલા લોકોને કરાવાશે ભોજન
બાહુબલી નેતાઓની સૂચિમાં સામેલ મોકામાના અનંત સિંહ હાલ જેલમાં છે. આ વખતે RJD દ્વારા અપક્ષ ધારાસભ્ય અનંતસિંહ ને ટિકિટ આપવામાં આવી હતી. અનંતસિંહ જેલમાં હોવા છતાં પણ વિજયની આશા ધરાવે છે. તે જ સમયે, બિહાર એક્ઝિટ પોલણા તારણો આવ્યા પછી મોકામા ના 'છોટે સરકાર' કહેવાતા અનંતસિંહ ની જીતની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
પુરજોશમાં શરુ થઈ ગઈ છે તૈયારીઓ
જેના માટે હલવાઈઓએ ડીશ બનાવવા માટે રાત-દિવસ એક કરી દીધા છે તેમ કહી શકાય, સાથે જ તેમના નિવાસસ્થાન નજીક એક ભવ્ય પંડાલ બનાવવામાં આવ્યો છે, જેમાં લગભગ 15 હજાર લોકોના ભોજન પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
અપક્ષ ધારાસભ્ય અનંત સિંહ આ વખતે RJD ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 2015 માં, એક અપક્ષ ઉમેદવાર તરીકે, તેમણે મહાગઠબંધનના ઉમેદવાર નીરજ કુમારને હરાવ્યો હતો. અનંત સિંહ છેલ્લા ચાર વખત સતત મોકામા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.
આ પહેલા JDU ની ટિકિટ પર લડી હતી ચૂંટણી
2005 ફેબ્રુઆરી 2005, ઓક્ટોબર 2010 માં, તેણે JDU ની ટિકિટ પર ચૂંટણી જીતી. આ પછી, 2015 માં JDU થી અંતર વધ્યું, તેથી તેમણે સ્વતંત્ર ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને ચૂંટણી જીતી લીધી.
અનંત સિંહ હાલમાં કથિત AK 47 રાઈફલ બરામદ થવાના મામલે હાલ જેલમાં છે. નોંધનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અનંત સિંહ ના સબંધી બે AK 47 રાઇફલ સાથે જોવા મળ્યા હતા.
ત્યાર બાદમાં પોલીસે લાડમા ગામે તેમની મોકામા પોઝિશનમાંથી AK 47 રાઇફલ બરામદ કરી હતી. આ મામલે અનંત સિંહ એ આત્મસમર્પણ કર્યું હતું, હાલમાં તે પટનાની બેઉર જેલમાં બંધ છે.
ભૂમિહારોના રક્ષક અને ગરીબોના મસીહા બનીને ઉભરી આવ્યા અનંત સિંહ
એવું કહેવામાં આવે છે કે બિહારના બાઢ વિસ્તારમાં રાજપૂતો અને ભૂમિહારોનો લોહિયાળ ઇતિહાસ રહ્યો છે. લોકો રાત્રે ઘરેથી ભાર નીકળતા પણ ડરતા હતા. આવી સ્થિતિમાં, અનંત સિંહ ભૂમિહાર સમુદાયના રક્ષક તરીકે ઉભરી આવ્યા.
2005 માં, અનંત સિંહ JDU થી ટિકિટ મેળવ્યા પછી ધારાસભ્ય બન્યા, ત્યારબાદ છઠ્ઠ પર ધોતીનું વિતરણ કરીને ગરીબોને રોજગાર માટે મદદ અને ઇફ્તારમાં રમઝાનના દિવસોમાં પાર્ટી આપવાથી તેમની નામના વધી.
તેમના ઘરે મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હતી, જેના પછી તેમણે લોકોની સમસ્યાઓ જાતે જ હલ કરવાનું શરૂ કર્યું, જેના કારણે આખા વિસ્તારમાં તેની છબી ગરીબોની મસીહા તરીકેની બની ગઈ અને તેણા બાદ લોકોની વચ્ચે 'છોટે સરકાર' એવું નામકરણ પામ્યા.