કંઝાવાલા કેસમાં જે કારથી યુવતીને ઘસડવામાં આવ્યું હતું તે કાર તેમાં સવાર પાંચ લોકોમાંથી એકેયની નહોતી. જે કારથી આ ઘટના બની તે કાર લોકેશ નામનાં એક વ્યક્તિની હતી.
કારથી અકસ્માત બાદ કોના પર થઈ શકે કેસ?
ડ્રાઈવર અને મકાન માલિક બંનેને આપવા પડે છે જવાબો
જાણો આ વિષય અંગેનાં સમગ્ર કાયદાઓ
કંઝાવાલા કેસમાં અંજલીની સાથે જે થયું તેને લઈને લોકો ગુસ્સામાં છે અને પોલીસની લાપરવાહી પર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મામલાની યોગ્ય તપાસ કરતાં જાણવા મળ્યું કે જે કારથી આ દુર્ઘટના બની છે તે કાર 5 આરોપીઓમાંથી એકની પણ નથી. તે કાર લોકેશ નામક એક વ્યક્તિની છે. આ માહિતી મળતાં પોલીસે લોકેશનો સંપર્ક કર્યો.
પોલીસે લોકેશ સાથે કરી પૂછપરછ
પોલીસે લોકેશને આ મામલે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે ગાડી તેના જીજાજી આશુતોષની પાસે છે જે રોહિણીમાં રહે છે. જ્યારે પોલીસે આશુતોષ સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે તેણે આ ગાડી તેના મિત્ર દીપક ખન્ના અને અમિત ખન્નાને આપી હતી. દીપક અને અમિત 31 જાન્યુઆરીનાં સાંજે 7 વાગ્યે આશુતોષ પાસેથી કાર લઈ ગયાં હતાં.
ડ્રાઈવરથી એક્સીડન્ટ થાય તો સજા કોને? માલિક કે ડ્રાઈવર?
અલ્હાબાદ હાઈકોર્ટે વકીલ દિલીપ પટેલે જણાવ્યું કે જો કોઈ કાર એક્સીડેન્ટમાં વિક્ટિમનું મોત થાય છે તો તેવામાં કાર ચલાવવાવાળા વ્યક્તિ પર કલમ 304a લાગે છે. આ કલમ જમાનતી પ્રકૃતિની છે જેમાં કેવળ ડ્રાઈવર કે જે કાર ચલાવી રહ્યો હોય તે જ આરોપી હોય છે.
IPCની કલમ 304a અંતર્ગત ઊતાવળમાં કોઈ એવું કાર્ય કરવું કે જેનાથી કોઈ વ્યક્તિની હત્યા થઈ જાય તો દોષીને 2 વર્ષની જેલ, ફાઈન અથવા જેલ અને ફાઈન બંને લાગી શકે છે. આ જમાનતી ધારાઓ છે. મેજિસ્ટ્રેટ આ મામલાની સુનાવણી કરી શકે છે. સાથે જ તેમાં જામીન માટે પણ અરજી લગાવી શકે છે.
માલિકો પર કઈ કલમો લાગશે?
દિલિપ પટેલે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં કારનાં માલિક પર કોઈ કેસ થતો નથી. જો કોઇ પોતાની કાર પોતાના કોઈ મિત્રને આપે છે અને તે એક્સીડેન્ટ કરે છે તો દુર્ઘટના ક્લેમમાં મોટર માલિક અને વીમા કંપની જવાબદાર રહેશે. જો કોઈ અકસ્માત થાય છે તો પોલીસ નોટિસ મોકલીને કારના માલિકને પૂછપરછ માટે બોલાવી શકાય છે. પોલીસ કારનાં માલિકને કારથી થયેલ અકસ્માત અંગે અને કોને કાર આપી- શા માટે વગેરે જેવા પ્રશ્નો પૂછી શકે છે.
અકસ્માત સમયે માલિક કારમાં હાજર હોય તો?
આ પ્રકારની ઘટનામાં જો કારનો માલિક પોતે ઘટના સમયે કારમાં હાજર હોય તો તેની સામે પણ અજાણતા હત્યાનો મામલો નોંધાઈ શકે છે. જો આરોપી દોષી સાબિત થઈ જાય છે તો કાર માલિકને પણ આરોપી જેટલી જ સજા મળી શકે છે.
અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થાય તો ?
નવા મોટર- વ્હીકલ એક્ટ અંતર્ગત જો કોઈ ઘટના બાદ વાહન ડ્રાઈવર ફરાર થઈ જાય છે તો તેવામાં વાહન ડ્રાઈવર જ દોષી માનવામાં આવે છે. ગાડીનો જો વીમો હોય તો પણ તેને આવી પરિસ્થિતિઓમાં લાભ મળશે નહીં. તો બીજી તરફ માલિક પર ઑન પેપર કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ આવશે નહીં.