SBIએ નવા નિયમ પ્રમાણે હવેથી ખાતા સાથે પાનકાર્ડ લિંક નહીં કર્યુ હોય તો આંતરરાષ્ટ્રીય ટ્રાન્જેક્શન કરી શકશો નહી.
SBI એ નિયમો કડક કર્યા
ખાતા સાથે પાનકાર્ડ લિંક કરવું આવશ્યક
આંતરરાષ્ટ્રીય ટ્રાન્જેક્શનમાં આવી શકે છે પરેશાની
જો તમારુ એકાઉન્ટ SBI બેઁકમાં છે તો આ નિયમ જાણવો ખૂબ જરુરી છે. SBIએ પાનકાર્ડને લઈને એક નવો નિયમ જાહેર કર્યો છે. જેનાથી ટ્રાન્જેક્શનમાં ફેરફાર થઈ શકે છે. એટલે સમય વેડફ્યા વગર નિયમ પ્રમાણે આ કામ કરી લો.
શું છે નવો નિયમ ?
SBIએ નિયમ કડક કરતા કહ્યું છે કે, જો તમારા ખાતા સાથે પાનકાર્ડ લિંક કરવું જરુરી છે. જો પાનકાર્ડ લિંક નહીં હોય તો ખાતાથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્જેક્શન કરી શકાશે નહીં. આ નવા નિયમથી પાનકાર્ડ લિંક નહીં હોય તો વિદેશમાં પૈસા મોકલાવી પણ નહીં શકાય અને વિદેશમાં જઈને ATMનો ઉપયોગ પણ કરી નહીં શકાય. એટલે કે વિદેશના ATMમાંથી પૈસા કાઢી શકાશે નહીં.
પાનકાર્ડ કેવી રીતે લિંક કરી શકાય ?
SBIના કોઈપણ ખાતાધારક ઑનલાઈન અને ઑફલાઈન બન્ને રીતે ખાતા સાથે પોતાનુ પાનકાર્ડ લિંક કરાવી શકે છે. જો ઑનલાઈન લિંક કરાવુ હોય તો તે માટે www.onlinesbi.com વેબસાઈટ પર જઈને My Accounts વિકલ્પની નીચે Profile-Pan Registration પર ક્લીક કરવાનું રહેશે. જેથી એક નવુ પેજ ખુલશે. લિંક કરવા માટે જે ખઆતામા લિંક કરવાનુ છે તે ખાતા નંબર નાંખવાનો રહેશે. ખાતા નંબર સિલેક્ટ કરીને પાનકાર્ડ નંબર નાંખવાનો રહેશે. આ રીતે ઘરે બેઠાં પણ તમે તમારો પાનકાર્ડ નંબર બેઁક ખાતા સાથે લિંક કરી શકો છો.
ઑફલાઈન લિંક કરવા માટેની પ્રક્રિયા
જો ખાતાધારક નેટ બેઁકિંગનો ઉપયોગ નથી કરતા તો જે શાખામાં ખાતું છે ત્યાં રુબરુ જઈને પોતાનુ પાનકાર્ડ નંબર અપડેટ કરાવી શકો છો. બેઁકમાંથી તમને એક પાનકાર્ડ અપડેટ ફોર્મ આપવામાં આવશે તેમાની વિગતો ભરીને જરુરી ડોક્યુમેન્ટ સાથે પાનકાર્ડની કોપી અટેચ કરવાની રહેશે. પાનકાર્ડ લિંક કારાવવા માટે બ્રાન્ચ મેનેજરને એક અરજી લખીને આપવાની રહેશે. આ પ્રક્રિયા બાદ તમારુ પાનકાર્ડ તમારા બેઁક એકાઉન્ટ સાથે લિંક થઈ જશે.
પાનકાર્ડ લિંક કરાવવું જરુરી કેમ ?
પાનકાર્ડ 10 આંકડાની ડિજિટનો એક કોડ છે. જેને પાનકાર્ડ કહેવાય છે. તેનો ઉપયોગ અંગત અથવા કંપનીમાં આર્થિક લેવડ- દેવડ માટે કરાય છે. જેનાથી સરકારી સબસીડીમાં પણ લાભ મેળવી શકાય છે. પોતાના ખાતામાં જો 50,000થી વધુની રકમની લેવડ દેવડ કરો છો તો તે માટે પાનકાર્ડ લિંક હોવું જરુરી છે. આ ઉપરાંત IT રીટર્નનો લાભ લેવા માટે પણ પાનકાર્ડ નંબર લિંક થવો જરુરી છે.