ગુજરાતમાં કોરોનાનો ભરડો દિવસેને દિવસે પોતાનો સંકજો કસી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે સફાઈ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આજે CMO સચિવ અશ્વિનિ કુમારે આ અંગે પત્રકાર પરિષદ માં માહિતી આપી હતી. ખેડૂતો માટે પણ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે.
સફાઇકર્મીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત
કર્મચારીનું ફરજ પર મૃત્યુ થાય તો 25 લાખની મદદ કરાશે
ખેડૂતોને પિયત માટે રાત્રે વીજ પુરવઠો મળી રહેશે
સફાઈકર્મીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત
સફાઈકર્મીઓ માટે 25 લાખની મદદ કરવાની જાહેરાત કરી. કર્મચારીનું ફરજ પર મૃત્યુ થાય તો 25 લાખની મદદ કરાશે. આરોગ્યના કર્મચારીઓ સારી ફરજ બજાવી રહ્યા છે.
કોરોના વાયરસને લઇ પુરવઠા વિભાગે આપી માહિતી
ખાદ્યતેલની અછત ન સર્જાય તે માટે નિર્ણય કર્યો છે. કપાસ જીનિંગ મિલો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ખાદ્યતેલના જથ્થાનો પ્રશ્ન હવે નહીં રહે. કપાસ અને કપાસિયા તેલની ઓઈલ મિલો ચાલુ રહેશે.
આજે ખેડૂતોને નિયમિતપણે વીજપુરવઠો ચાલુ રહેશે. સ્ટ્રીટલાઈટ, બાગ-બગીચાની લાઈટો ચાલુ રહેશે. હોસ્પિટલોમાં પણ લાઈટની વ્યવસ્થા ચાલુ રહેશે. લોકો પોતાના ઘરની લાઈટ બંધ કરી દીવો પ્રગટાવે. લોકો 9 મિનિટ સુધી દીવો, ફ્લેશલાઈટથી એકજૂટતા બતાવે. ઘરના બીજા ઈલેક્ટ્રીક ઉપકરણો બંધ કરવાની જરૂર નથી.