ICMR Guidelines મુજબ હવે હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓ કે જે લો રિસ્ક અને કોરોના લક્ષણો નથી ધરાવતા તથા ડિલિવરી માટે આવતી સગર્ભા સ્ત્રીઓને કોરોના રિપોર્ટની જરૂર નહીં પડે.
ICMR ની નવી ગાઈડલાઇન
તમામ વ્યક્તિને હવે કોરોના રિપોર્ટ કરવાની જરૂર નથી
જાણો કયા લોકોને કોરોના રિપોર્ટમાંથી મુક્તિ?
ICMR Guidelines
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી કોવિડ ટેસ્ટિંગ ગાઈડલાઇન અનુસાર એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં દાખલ થવાના સમયે અને ઇન-હોસ્પિટલ ટ્રાન્સમિશનને રોકવા માટેની પ્રક્રિયાઓ પહેલાં દિલ્હીની કેટલીક હોસ્પિટલો હજુ પણ કોવિડ-19 માટે દર્દીઓની તપાસ કરી રહી છે. ડોકટરોને એ પણ ડર છે કે પોઝિટીવ દર્દીઓમાં સર્જિકલ પરિણામો વધુ ખરાબ હોઈ શકે છે.
કોને ટેસ્ટ કરાવવાની જરૂર નથી?
નવી ગાઈડલાઇન્સ અનુસાર “સર્જિકલ કે નોન-સર્જિકલ ઇનવેઝીવ પ્રોસેસમાંથી પસાર થનાર એસીમ્ટોમેટિક દર્દીઓમાં સગર્ભા સ્ત્રીઓ સહિત કે જેઓ ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ છે કે તેઓને જો કોરોનાનાં લક્ષણો ન હોય તો ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી.
આ ગાઈડલાઇન અનુસાર આ પ્રકારના લોકોને કોવિડ ટેસ્ટ માટે રોકી રાખવાની જરૂર નથી
1) પોઝિટીવ પેશન્ટના સંપર્કમાં આવેલા લો રિસ્ક પેશન્ટ્સ
2) લક્ષણો ન ધરાવતી ગર્ભિણીઓ
3) કોવિડ પેશન્ટને ડિસ્ચાર્જ કરતી વખતે કોરોના રિપોર્ટ કરાવવાની કોઈ જરૂર નથી
4) ઇન્ટર સ્ટેટ મુસાફરી કરતાં કોઈપણ પ્રવાસીને ટેસ્ટ કરાવવાની જરૂર નથી
5) કોન્ટેક્ટ ટ્રેસીંગ એટલે કે કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં 60 વર્ષથી નીચેના લોકો
6) એક્સિડેન્ટ જેવા કેસમાં ઇમરજન્સી પહેલા
7) હોસ્પિટલમાં દાખલ થતાં કોઈ પણ લો રિસ્ક અને એસિમ્પટોમેટિક દર્દીઓ
કોનાં માટે ફરજિયાત?
જે લોકો કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવે છે એટલે કે સિમ્પટમેટિક છે અને 60 વર્ષથી વધુ વયના શંકાસ્પદ બીમાર, ડાયાબિટીસ, હાયપરટેન્શન, બીમારીથી પીડાતા, ફેફસાં, કિડની સહિતની તકલીફો ધરાવતા કો-મોરબીડ વ્યક્તિઓનો RTPCR ફરજિયાત કરવામાં આવશે. આ લોકોને ડૉક્ટર્સની સલાહથી હોમ આઇસોલેશનમાં રાખવાની અનુમતિ મળશે.