કોરોના મહામારીમાં સ્વસ્થ રહેવું એ લોકો માટે એક ચેલેન્જ સમાન છે. આ સમયે ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી બને છે. યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત આહારથી લાભ મળી શકે છે. આ સમયે ICMR એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રોજ ડાયટમાં 2000 કેલેરી લેવાનું કહેવાયું છે. અનેક અલગ અલગ ચીજોથી આ કેલેરી લેવાય તે જરૂરી છે. એક ફૂડ પ્રોડક્ટથી એનર્જી તો મળશે પણ શરીરમાં વિટામીન, કેલ્શિયમ અને પ્રોટીનનું બેલેન્સ બગડી શકે છે. તો જાણો ICMRનો Diet Chart કેવો છે.
ICMRનો Diet Chart
રોજ 2000 કેલેરી લેવું જરૂરી
આ કેલેરી અલગ અલગ ફૂડ પ્રોડક્ટથી લેવી જરૂરી
ICMRનો ડાયટ ચાર્ટ
ICMRના આધારે આપણે રોજ ભોજનામાં 270 ગ્રામ અનાજ સામેલ કરવું. તેમાંથી 2000 કેલેરીનો લગભગ 45 ટકા ભાગ મળી રહે છે. 90 ગ્રામ દાળ ખાવી. તેનાથી 17 ટકા કેલેરી એનર્જી મળશે, રોજ 300 ગ્રામ દૂધ અને દહીંનો ઉપયોગ કરવો. તેનાથી 10 ટકા એનર્જી મળશે. ખાવમાં 150 ગ્રામ ફળ ખાવા. તેનાથી 3 ટકા કેલેરી એનર્જી મળશે. 20 ગ્રામ નટ્સ અને સીડ્સ સામેલ કરો. તે તમને 8 ટકા કેલેરી એનર્જી આપશે, આ સિવાય 27 ગ્રામ ઘી અને ફેટ્સ લેવા. તેનાથી 12 ટકા એનર્જી મળશે.
શહેર અને ગામમાં શું ખાઈ રહ્યા છે લોકો
ICMRના રિપોર્ટ અનુસાર એનર્જીના સ્ત્રોતની રીતે 45 ટકા આધાર અનાજ પર હોય તે જરૂરી છે. શહેર અને ગામમાં આવું થતું નથી. શહેરમાં 52 ટકા લોકો અનાજ પર નિર્ભર રહે છે તો ગામમાં 65.2 ટકા લોકો અનાજ પર આધાર રાખે છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઉર્જાના સ્ત્રોત માટે દાળ, ઈંડા,માંસ, માછલી, અનાજ તમામ ચીજોને ડાયટમાં સામેલ કરવી. આવું થતું નથી. એનર્જી માટે આ ચીજો પર લોકોની નિર્ભરતા 11 ટકા છે. પણ તે 17 ટકા હોવી જોઈએ.
એનર્જી માટે શાક પર 5 ટકા આધાર હોવો જોઈએ પણ ગામમાં આ વાતનું પાલન 8.8 ટકા લોકો અને શહેરોમાં 17 ટકા લોકો કરી રહ્યા છે. નટ્સ અને ઓઈલ સીડ્સ પર ગામના લોકોનો આધાર 22 ટકા છે. જ્યારે શહેરમાં લોકોની નિર્ભરતા 27 ટકા છે. રિપોર્ટ અનુસાર શહેરોમાં લોકો 11 ટકા એનર્જીના સ્ત્રોત પર સ્નેક્સ અને મીઠાઈનો ઉપયોગ કરે છે, જે ઘટવો જરૂરી છે. સારી ક્વોલિટીના પ્રોટીનનો ઉપયોગમાં ગામમાં 5 અને શહેરોમાં 18 ટકા લોકો ઉપયોગ કરે છે. આ સ્તર વધારવાની જરૂર છે.
તાજો અને પ્રોટીન યુક્ત ખોરાક
ડોક્ટર્સના અનુસાર શહેરોમાં સૌથી વધારે સ્નેક્સનો ઉપયોગ થાય છે. આ હેલ્થ માટે સારું નથી. વધુ સ્નેક્સ ખાવાનો અર્થ છે તે તમે સારું ખાવાનું ખાવાથી દૂર રહો છો. શરીરને જરૂરી ઉર્જા પણ મળતી નથી. ICMRના ચાર્ટ વિશે ડોક્ટર્સનું માનવું છે કે સૂર્યની રોશની, દહી, ગોળ અને ચણાને પણ સામેલ કરવા. ફોકસ તાજું અને પ્રોટીન યુક્ત ખોરાક પર રાખવું, ઓફિસ જનારા લોકો વધારે વ્યસ્ત રહે છે જેથી તેઓ આ ચાર્ટને કમ્પલીટલી ફોલો કરી શકતા નથી. તેઓએ ડ્રાયફ્રૂટ્સ પર નિર્ભરતા વધારવી. તે એનર્જીનો સારો સ્ત્રોત છે. તેના ઉપયોગથી વિટામીનનું પણ બેલેન્સ કાયમ સચવાઈ રહે છે.