ઓડિશા ઝારખંડ બોર્ડર પર મંગળવારે બપોરે ભારતીય સેનાનું પ્લેન ક્રેશ થઇ ગયું છે. આ પ્લેન મહુલદાનગિરી ગામમાં ક્રેશ થયું છે. પાયલોટની હાલત ગંભીર છે. તમને જણાવી દઇએ કે વાયુસેનાનું પ્લેન ક્રેશ થવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે.
ગત વર્ષે રાજસ્થાનના બાલેસરમાં એરફોર્સનું MIG 23 એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું હતું. પ્લેનનો કાટમાળ મળ્યો હતો જેમાં પ્લેન પૂરી રીતે ખાક થઇ ગયું હતું. ભારતીય વાયુસેના પાસે મિગ 23 અને મિગ 27 વિમાન છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી મિગ વિમાનોની ઘટના બનતી રહે છે એ ચિંતાની વાત છે.
ગત વર્ષે એર ચીફ માર્શલ પીએસ ધનોઆએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે શાંતિના સમયમાં પણ જવાનોના મોત થવા ખૂબ જ ચિંતાજનક છે. અમે અકસ્માત ઓછા થાય એના માટે જરૂરી પગલા ભરી રહ્યા છે. એમને કહ્યું કે અમારી પાસે ઓછી સંખ્યામાં ફાઇટર છે પરંતુ અમે કોઇ પણ પ્રકારનો ટાસ્ક પૂરો કરવામાં સક્ષમ છીએ.