કોંગ્રેસ જ ભાજપ સામે લડી શકે તેમ છે: કન્હૈયા કુમાર
દિલ્હીમાં JNUમાં આંદોલન દરમિયાન વિવાદોમાં આવેલ નેતા કન્હૈયા કુમાર હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. પંજો પકડતા જ કન્હૈયાએ ભારતીય જનતા પાર્ટી સામે બાંયો ચડાવી છે ત્યારે એક નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીની સામે ઈમાનદારીથી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સામે ખાલી કોંગ્રેસ જ લડી શકે છે અને કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક મોટું જહાજ છે અને તેને મજબૂત કરવાની જરૂર છે.
હું ભાજપના ટુકડે ટુકડે કરીશ: કન્હૈયા કુમાર
CPIએ કહ્યું કે કન્હૈયાએ લેફ્ટની સાથે વિશ્વાસઘાત કર્યો છે જેના જવાબમાં કન્હૈયાએ કહ્યું કે મેં 18 વર્ષમાં જે શીખ્યું છે તે CPIમાંથી જ શીખ્યું છે અને તે લોકોને ખોટું લાગવું સ્વભાવિક છે. પણ રાજકારણમાં કોઈ કોઈનું શત્રુ રહેતું નથી. કન્હૈયા કુમારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અમને ટુકડે ટુકડે ગેંગ કહે છે. હું ભાજપ માટે ભલે ટુકડે ટુકડે છું પણ હું ભાજપનાં જ ટુકડે ટુકડે કરીશ. આ પાર્ટી ગાંધી નહીં ગોડસેને રાષ્ટ્રપિતા માને છે. બસ ખાલી બાયડન સામે જઈને જ ગાંધીનાં વખાણ કરતાં રહે છે.
અમિત શાહ મારી ધરપકડ કરે: કન્હૈયા કુમાર
કન્હૈયાએ વધુમાં કહ્યું કે જો હું દેશદ્રોહી છું તો અત્યાર સુધી મારી ધરપકડ કેમ નથી કરી? આખું IT સેલ મારી પાછળ પડી ગયું છે. હું કહેવાય માંગુ છું કે અમિત શાહજઈ મારી ધરપકડ કેમ નથી કરી રહ્યા? કોંગ્રેસમાં હાલમાં ચાલી રહેલા વિવાદ મુદ્દે તેમણે કહ્યું હું કોંગ્રેસની બહાર લડાઈ લડવા આવ્યો છું અને અંદરની લડાઈ વિશે હું કહી શકું નહીં.