વરસાદની સિઝનમાં કપડાં સુકાઈ ગયા બાદ પણ તેમાં ભેજ રહી જાય છે. જેના કારણે તેમાંથી વાસ આવે છે.
વરસાદની સિઝનમાં કપડાંમાંથી આવે છે દુર્ગંધ?
બેડ સ્મેલને દુર કરવા આપનાવો આ ટિપ્સ
કપડાં સુકવતી વખતે અપનાવો આ ટિપ્સ
વરસાદની સિઝન બધાને પસંદ ખૂબ હોય છે પરંતુ તેમાં મુશ્કેલીઓ પણ ઘણી આવે છે. આ મુશ્કેલીઓમાંથી એક એ છે કે વરસાદની સિઝનમાં કપડાં નથી સુકાતા. વરસાદની સિઝનમાં કપડાં સુકાયા બાદ પણ તેમાં ભેજ રહી જાય છે. તેના કારણે તેમાંથી દુર્ગંધ અથવા તો બેડ સ્મેલ આવવા લાગે છે. કપડાંમાંથી આ સ્મેલ ન આવે તેના માટે આજે અમે તમને અમુક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. જેને ફોલો કર્યા બાદ તમને આ સમસ્યામાંથી છુટકારો મળી જશે.
વાઈટ વિનેગરનો કરો ઉપયોગ
વરસાદની સિઝનમાં કરડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે તમે વિનેગરની મદદ લઈ શકો છો. તેમા માટે તમે કપડાંને નોર્મલ રીતે ડિટર્જનમાં ધોઈ લો. ત્યાર બાદ અડધી ડોલ પાણીમાં બે મોટી ચમચી વાઈટ વિનેગર નાખીને તેમાં ધોયેલા કપડાને 10 મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ કપડાંને સારી રીતે નિચોવી લો અને સુકવી દો. તેનાથી કપડાંમાંથી દુર્ગંધની સમસ્યા બંધ થઈ જશે.
ડેટોલનો કરી શકાય ઉપયોગ
વરસાદની સિઝનમાં કપડાંમાંથી આવનાર દુર્ગંધથી છુટકારો મેળવવા માટે ડેટોલ તમારી મદદ કરી શકે છે. તેના માટે કપડાંને નોર્મલ રીતે ડિટર્જનમાં ધોઈ લો. ત્યાર બાદ અડધી ડોલ પાણીમાં બે-ત્રણ મોટી ચમચી ડેટોલ નાખીને તેમાં ધોયેલા કપડાંને 10 મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ કપડાંને સારી રીતે નિચોવી લો અને સુકવી દો. તેનાથી કપડાંમાંથી દુર્ગંધની સમસ્યા બંધ થઈ જશે. જો તડકો નિકળ્યો હોય તો પ્રયત્ન કરો તે તાપમાં જ કપડાં સુકવવા. જો તાપ નથી તો કપડાંને પંખાની હવામાં સુકવો જેનાથી કપડાંમાં ભેજ ન રહી જાય.
અગરબત્તીનો કરો ઉપયોગ
આમતો તમે હંમેશા અગરબત્તીનો ઉપયોગ પુજા પાઠ વખતે કરો છો. પરંતુ કપડાંની દુર્ગંધને દુર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમારે કપડાં ધોવાઈ જાય ત્યાર બાદ તેને સુકવ્યા બાદ તે જગ્યાની આસપાસ અગરબત્તીને સળગાવીને મુકી દો. તેનાથી અગરબત્તીનો ધુમાડો ધીરે ધીરે કપડાંમાં સીધો જશે અને કપડાંમાં સમાઈ જશે અને કપડાંમાંથી દુર્ગંધની જગ્યા પર સુગંધ આવવા લાગશે.