કોરોનાએ ભારતમાં પગપેસારો કર્યો તે વાતને આજે દોઢ વર્ષ થઇ ગયુ છે અને તેનુ સામ્રાજ્ય વધતુ જ જાય છે પરંતુ જે લોકોને લો બીપી છે તેમણે ખાસ સાચવવું જોઇએ.
કોરોનામાં રાખો સ્વાસ્થ્યનું ધ્યાન
લોબીપીના દર્દીઓએ ખાસ સાચવવુ
ઘરેલુ ઉપચારથી બીપી કરો કન્ટ્રોલ
તમે સાંભળ્યુ હશે કે કોરોના થયો અને માણસ ગુજરી ગયુ પરંતુ કોરોનાની સાથે અન્ય કોઇ બિમારી હોય તો વધારે અસર કરે છે. લો બીપીના પેશન્ટને આ કાળ દરમિયાન ખાસ સાચવવુ કારણ કે ચક્કર આવવાને કારણે ઘણી તકલીફો થાય છે.
લો બીપીના દર્દીઓએ લીંબુ પાણી, અને વિટામિન સી મળે તેવા ફળ ખાવા જોઇએ, અત્યારના સમયમાં ખાસ ધ્યાન રાખવુ નહીંતર કોરોના થવાની શક્યતાઓ વધી જાય છે.
લો બીપી થવાના કારણો
ડીહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછત, જેને કારણે લાંબા સમયે નૉઝીઆ, ડાયેરિયા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. વધારે પડતા વર્ક આઉટ, કે લૂ લાગવાના કારણે પણ સમસ્યા સર્જાઇ શકે છે.
શરીરમાં લોહીની ઉણપ પણ લો બીપીની બિમારી સર્જી શકે છે. ઘણીવાર સ્ત્રીઓને ડિલિવરી વખતે વધુ પડતા લોહી વહી જવાના કારણે પણ લો બીપીની સમસ્યા સર્જાઇ શકે છે. હ્રદયની માંસપેશીઓ કમજોર થવાને લીધે હાર્ટ ઓછી માત્રામાં લોહી પંપ કરે છે જેના કારણે પણ આ સમસ્યા સર્જાઇ શકે છે. કોઇ ગંભીર ઇન્ફેક્શનને કારણે પણ બીપી લો થવાની સંભાવના રહે છે.
આ બાબતોનું રાખો ધ્યાન
- કોઇપણ બિમારીના મૂળમાં સ્ટ્રેસ હોય છે. તો વધારે પડતા સ્ટ્રેસથી બચવુ અત્યંત આવશ્યક છે. જો તમને સ્ટ્રેસ અનુભવાય તો મેડિટેશન તેનો રામબાણ ઇલાજ છે.
- પોતાના ડાયેટમાં લીલા શાકભાજીનો વધુ પડતો સમાવેશ કરો. સાથે જ ફળ અને દૂધનો પણ પૂરતા પ્રમાણમાં સમાવેશ કરો.
- જ્યૂસ, છાશ, દહી, લસ્સી જેવા તરલ પદાર્થોની માત્રા વધારો અને વધુ પાણી પીવાનું રાખવું જઇએ.
- વ્રત કે ઉપવાસના સમયે વધારે સમય પેટને ખાલી ન રાખો, બે કે ત્રણ કલાકના અંતરે કંઇક ખાવાનું રાખો.
- વધારે પડતી કમજોરી અનુભવાય તો પાણીમાં લીંબૂ અને મીઠુ નાંખીને તરત જ પી લો.
જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો લો બીપીની સમસ્યાથી બચી શકશો.