રાજનીતિ / ગુજરાતમાં ફરીએકવાર રિસોર્ટ રાજનીતિ શરુ,Congressનાં વધુ MLAને જયપુર ખસેડવામાં આવશે

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.ભાજપ દ્વારા ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરાતા કોંગ્રેસ ટેન્શનમાં આવી છે.ગુજરાત કોંગ્રેસને પોતાના ધારાસભ્યોને તૂટવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે હવે ભાજપ દ્વારા તોડજોડની રાજનીતિ ન કરવામાં આવે માટે કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને જયપુરમાં ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાનના શિવવિલાસ રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. જ્યારે 15થી 18 જેટલા ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે.હાઈકમાન્ડ દ્વારા તમામ ધારાસભ્યોને પોતાની પાસે મોબાઈલ ન રાખવાની સૂચના અપાઈ છે..ધારાસભ્યોને શક્તિસિંહ અને ભરતસિંહના બે અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ