આજના દિવસે ક્રોધ પર સંયમ રાખતા શીખવું પડશે નહીં તો ધનોતપનોત થશે, ખોટા ખર્ચા પર કાબૂ રાખો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ
આજનું પંચાંગ
31 05 2022 મંગળવાર
માસ જેઠ
પક્ષ શુક્લ
તિથિ એકમ
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ ધૃતિ
કરણ બવ (સાંજે 07.18 પછી બાલવ)
રાશિ વૃષભ (બ,વ,ઉ)
---------------------- દેવ દર્શન - લાલદરવાજાના ગણપતિ, અમદાવાદ
લાલદરવાજાના ગણપતિ મંદિરમાં બંને બાજુ સૂંઢ ધરાવતી મૂર્તિઓ
પેશ્વાકાલીન સમયનું મંદિર 350થી 400 વર્ષ જૂનું, એક મૂર્તિ પૂર્વાભિમુખ છે અને બીજી મૂર્ત્તિ સ્વયંભૂ ગણેશ મૂર્તિ તરીકે ઓળખાય છે
લાલદરવાજા વિસ્તારમાં આવેલા ગણેશ મંદિરમાં ગણેશજીની 2 સૂંઢવાળી મૂર્તિ બિરાજમાન છે, સાથસાથે રાજ્યમાં માત્ર આજ મંદિરમાં ગણેશજીની એક મૂર્તિ ભોંયરામાં આવેલી છે.
આ મંદિર પેશ્વકાલીન સમયનું 350થી 400 વર્ષ જૂનું મંદિર છે. જે સાબરમતીના પૂર્વ કિનારે આવેલું છે. અહીં દાદાની બે મૂર્તિ છે. એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિદાદાની છે. જે રિદ્ધિસિદ્ધિ સાથે બિરાજમાન છે, જે આરસપહાણની સિંદૂરી કલરની મૂર્તિ છે. બીજી મૂર્તિ છે એ ડાબી સૂંઢની મૂર્તિ છે. એક મૂર્તિ પૂર્વાભિમુખ છે અને બીજી મૂર્ત્તિ સ્વયંભૂ ગણેશ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.
મુખ્ય ગણેશ મંદિરની 50 ફૂટ દૂર ‘પાતાળેશ્વર મહાદેવ’નું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. આ મંદિર જમીનની અંદર ભોંયરામાં આવેલું છે. આથી લોકો આને ભોંયરાવાળા ગણેશ પણ કહે છે. અહીં ભોંયરામાં ‘વક્રતુંડ’ બિરાજમાન છે. આ સિંદૂરી સ્વરૂપનાં દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. ભોંયરામાં આવેલું ગજાનંદનું આ સ્થાનક પેશ્વાકાલીન મનાય છે. કહેવાય છે કે, ખાસ તો યુદ્ધના સમયમાં મનની શાંતિ માટે રાજા-રાણીઓ અહીં મંદિરમાં આવતાં હતાં. આ મંદિર એ તેમની ગુપ્ત મુલાકાતનું પણ કેન્દ્ર રહેતું હતું.
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.09 થી સાંજે 04.31 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે
જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો
વૃષભ (બ.વ.ઉ.)
કામમાં ઉત્સાહમાં વધારો થશે
ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે
અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે
મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા