રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાઈ જતાં યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે. આ વિદ્યાર્થીઓને સહીસલામત દેશમાં પરત લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે એક ફલાઈટમાં લઈને દિલ્હી પહોંચી હતી. જેમાં 100 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓને લઈને દિલ્હીથી નીકળેલી ત્રણ વોલ્વો બસ આજ રોજ ગાંધીનગર સચિવાલય ખાતે આવશે.
સર્કિટ હાઉસ પર વિદ્યાર્થીઓનું કરાશે સ્વાગત
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓનું સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરાયું છે. જે અંતર્ગત યુક્રેનથી પરત આવતી એક ફ્લાઈટમાં કેટલાક વિદ્યાર્થીઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ ગુજરાતી યુવાનો છે. જેમને લઈને ત્રણ વોલ્વો બસ ગત રોજ સવારે દિલ્હીથી નીકળી છે. જે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ આવી પહોંચશે તેવું જણાવાયું હતું.