સૂકી ખાંસીમાં વ્યક્તિને ગળફા પડતા નથી પણ ગળામાં દર્દ, બળતરા અને ખરાશ રહે છે. તો જાણો અસરકારક ઘરેલૂ ઉપાયો પણ.
સૂકી ખાંસી કરે છે પરેશાન
અજમાવી લો આ ઘરેલૂ ઉપાયો
ગળામાં દર્દ, બળતરા અને ખરાશમાં મળશે રાહત
આયુર્વેદમાં ખાંસીનું કારણ પિત્ત, કફ અને કબજિયાતના અસંતુલનને માનવામાં આવે છે. ખાંસી ખાસ કરીને 2 રીતે વ્યક્તિને પરેશાન કરી શકે છે. પહેલા ગળફાવાળી ખાંસી જેમાં વ્યક્તિને ખાંસી સાથે ગળફા આવે છે. અન્ય સૂકી ખાંસી જેમાં ગળફા નથી આવતા પણ ગળામાં દર્દ, ખરાશ અને બળતરા રહે છે. અનેક વાર ખાંસીની સાથે વ્યક્તિની નસો પણ દુખે છે.
સૂકી ખાંસી સરળતાથી ઠીક થતી નથી. તેના કારણે વ્યક્તિને વધારે મુશ્કેલી રહે છે. જો તમે કોઈ કારણે સૂકી ખાંસીથી પરેશાન છો તો અહીં આપેલા ઉપાયો તમારી મદદ કરી શકે છે. તો જાણો કારણ અને નેચરલ ઉપાયો.
આ કારણે થઈ શકે છે ખાંસી
નાક અને ગળામાં કોઈ બહારના પદાર્થના કારણે થયેલી એલર્જી સૂકી ખાંસીના કારણે થાય છે. આ સિવાય પ્રદૂષણ યુક્ત વાતાવરણ, ધૂળ, માટીના કણ, ટીબી, અસ્થમા, ફેફસામાં સંક્રમણ વગેરેના કારણે સામાન્ય છે.ક્યારેક લંગ્સ કેન્સર થવાની સ્થિતિમાં સૂકી ખાંસીની સમસ્યા થઈ શકે છે.
કરી લો આ ઘરેલૂ ઉપાયો
મધ સૂકી ખાંસીમાં આરામ આપે છે. આ માટે દિવસમાં 3 વાર મધ લો અને રાતે સૂતા સમયે હૂંફાળા દૂધમાં મધ મિક્સ કરીને પીઓ.
જો તમને વધારે ખાંસી હોય તો દેશી ઘીમાં બૂરો અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને થોડી વારે ચાટતા રહેવાથી પણ રાહત મળે છે.
તુલસીના પાનનો રસ અને આદુના રસમાં મધને મિક્સ કરીને 4-5 વાર લેવાથી પણ મોટી રાહત મળી રહે છે.
એક ચમચી આદુના રસને મધ સાથે મિક્સ કરો અને પછી તેને ચાટો. વારેઘડી આ કામ કરી લેવાથી પણ રાહત મળે છે. આ સિવાય તમે આદુને પાણીમાં ઉકાળીને તેમાં મધ મિક્સ કરીને પણ પી શકો છો.
સવારે અને સાંજે સિંધાલૂણ મીઠું પાણીમાં મિક્સ કરો અને પાણીને હૂંફાળું ગરમ કરો. તેનાથી કોગળા કરો. તેનાથી આરામ મળે છે. આ સિવાય નળીનું સંક્રમણ અને સોજા દૂર થાય છે.
2 મોટી ચમચી મૂલેઠીનું ચૂરણ અને 2-3 ગ્લાસ પાણી મિક્સ કરીને ઉકાળો. 10-15 મિનિટ સુધી નાસ લો. તેનાથી ખાંસીમાં આરામ મળશે.
ગિલોય, તુલસીનો ઉકાળો બનાવો અને સવાર સાંજે પીવાથી સૂકી ખાંસી રહેશે નહીં. જૂની ખાંસી પણ રાહત આપી શકે છે.
દાડમના છોતરાને સૂકવો અને એક એક ટુકડો મોઢામાં રાખીને ચૂસતા રહેવાથી પણ ખાંસીમાં રાહત મળી શકે છે.