ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કાર્યકરોને કહ્યું હતુ કે, ભાજપનો વિજય નિશ્ચિત છે તેવા આત્મવિશ્વાસમાં રહેવાને બદલે પૂરજોશમાં પ્રચાર કરો.
કોંગ્રેસ દ્વારા થતી તમામ ગતિવિધિઓની મને ખબર પડશે
પૂરા ખંતથી પ્રચારમાં જોડાવ
અમે ક્યારેય સરકારી તંત્રનો ક્યારેય દુરુપયોગ કરતા નથી
મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉપસ્થિત ભાજપના કાર્યકરોને જીતના ઉત્સાહના અતિરેકમાં ન આવવાની સલાહ આપી એવું પણ જણાવ્યું હતું કે હું ગૃહમંત્રી છું માટે મને કોંગ્રેસ આ વિસ્તારમાં જે કાંઈ પણ કરશે મને ખબર પડશે માટે તે અનુસાર વ્યૂહરચના ચૂંટણીની ઘડવાની છે.
કોંગ્રેસ દ્વારા થતી તમામ ગતિવિધિઓની મને ખબર પડશે
મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોરવા હડફ ખાતે ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટન પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું, આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના કાર્યકરોને મંત્રીએ જણાવ્યું હતું કે હું રાજ્યનો ગૃહમંત્રી છું એટલે આ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા થતી તમામ ગતિવિધિઓની મને ખબર પડશે જે અંગે તમને અવગત કરાવતો રહીશ, ત્યારે કોંગ્રેસ દ્વારા અગાઉ કરવામાં આવેલા આક્ષેપને સીધી રીતે કબૂલાત કરતા હોય તેવું ગૃહરાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું હતું,
પૂરા ખંતથી પ્રચારમાં જોડાવ
આ સાથે પેટાચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે તેવા આત્મવિશ્વાસમાં ન રહી પુરા ખંતથી ચૂંટણી પ્રચારમાં જોડાવા માટે કાર્યકરોને કરી અપીલ કરી હતી. તો બીજી તરફ ભાજપને આ બેઠક પર જીતાડવા માટે તનતોડ મહેનત કરવા માટે સાથે સાથે લોકો સમક્ષ રાજ્ય સરકારના વિકાસના કામો તેમજ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદાઓની માહિતીથી વાકેફ કરવા માટે પણ અપીલ કરી હતી.
અમે ક્યારેય સરકારી તંત્રનો ક્યારેય દુરુપયોગ કરતા નથી
કોંગ્રેસ પક્ષ પર પણ ગૃહમંત્રી દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની ગતિવિધિઓની માહિતી મને મળતી રહેશે તેવા નિવેદન અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે ક્યારેય સરકારી તંત્રનો ક્યારેય દુરુપયોગ કરતા નથી, મારો કહેવા પાછળનો આશય એ હતો કે કોંગ્રેસ અમારા વિરુદ્ધ પ્રજાને કેવા પ્રકારે ગુમરાહ કરશે તે અમે સારી રીતે જાણીએ છીએ. અને કોંગ્રેસ દ્વારા આ વિસ્તારમાં જ્યારે જ્યારે પણ જુઠ્ઠાણું ફેલાવવામાં આવશે તો અમે ચોક્કસ તેનો પર્દાફાશ કરીશું.