કોરોના વાયરસ જેવી મહામારી બચવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવેલ છે. ચોથા તબક્કાનું લૉકડાઉન 31 મે એટલેકે આવતીકાલે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં લૉકડાઉનના પાંચમા તબક્કાને લઇને પણ ચર્ચાઓ ચાલી રહ્યા છે. જો કે, હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
દેશમાં કોરોના સંકટ વધુ ઘેરું બન્યું
પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વચ્ચે થઇ મુલાકાત
ગોવાના મુખ્યમંત્રીએ લૉકડાઉન વધારવાની કરી માગ
જો કે, ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન સમાપ્ત થયાના એક દિવસ પહેલા એટલે કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 7 લોક કલ્યાણ માર્ગ (પીએમ આવાસ) પર મુલાકાત કરી હતી. આ કિસ્સામાં, અન્ય લોકડાઉન થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગોવાના મુખ્યમંત્રીએ લૉકડાઉન વધારવાની કરી માગ
લૉકડાઉન વધવાને લઇને પ્રથમ સંકેત ગોવાના મુખ્યમંત્રી ડો પ્રમોદ સાવંતે શુક્રવારે આપ્યા હતા. તેમણે લૉકડાઉનને 15 દિવસ સુધી વધારવાની માગણી કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કર્યા બાદ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. એવામાં વધુ 15 દિવસ સુધી લૉકડાઉન વધારવું જોઇએ.
આવતીકાલે PM મોદી કરશે મન કી બાત
માનવામાં આવી રહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પણ મન કી બાત કરશે. એવો અંદાજ છે કે બે અઠવાડિયાથી લોકડાઉનમાં વધારો લગભગ નિશ્ચિત છે.
આ સાથે જ, કોરોનામાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતામાં સૌથી વધુ દર્દીઓ છે. આ શહેરોમાં, દેશના કુલ કોરોના ચેપના 70 ટકા કેસો મળી આવ્યા છે.