દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ યોજાશે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન
અમિત શાહ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા
23 ફેબ્રુઆરી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ યોજાશે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે એવી શક્યતા છે.
અમદાવાદના મોટેરા ખાતે નવા બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી પહેલી ઈન્ટરનેશનલ મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવવા જઈ રહી છે, ત્યારે આ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનો ઉદઘાટન કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીના રોજ સાંજે મોટેરા સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં યોજાશે.
આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે એવી પૂરી શક્યતાઓ છે જેમનો કાર્યક્રમ એક- બે દિવસમાં નક્કી થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ઉદઘાટન કાર્યક્રમ અને મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સ્ટેડિયમની વિશેષતા
જો અહીં દર્શકોના બેસવાની ક્ષમતા જોવામાં આવે તો અહીં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટથી પણ ઘણું મોટું હશે. આ સ્ટેડિયમ મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યા પર જ બનવા જઇ રહ્યું છે. આ સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. 63 એકરમાં સ્ટેડિયમને તૈયાર કરવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમમાં કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ બનાવવામાં આવશે. છ માળનાં સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં 50 જેટલાં રૂમો બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશાએ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ તૈયાર થશે. મહત્વની વાત એ છે કે અહીં કોઇ પણ પીલર નહીં હોય, જેમાં કોઇ પણ અડચણે મેચ જોઇ શકાશે.
કેટલા ખર્ચે તૈયાર થશે?
ગુજરાત ક્રિકેટ સંઘ દ્વારા મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યાએ બની રહેલ આ સ્ટેડિયમ અંદાજિત 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેની ડિઝાઇન એમસીજીની ડિઝાઇનર ફર્મ પૉપુલસે જ તૈયાર કરી છે. આ મોટેરા સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.