હાલ જ્યાં અનેક વિસ્તારોમાં પાણીની અછત વર્તાય છે. લોકો પાણી માટે ફાંફા મારે છે. ત્યાં રાજા મહારાજાઓના જમાનામાં પાણી માટે એવા એવા સ્ત્રોત હતા. જેની ચર્ચા આજે પણ થાય છે. પાણી માટે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હતી કે ક્યાંય પાણીની કાગાડોળ સાંભળવા મળતી ન હતી. આજે એક એવા કૂવાની વાત કરવી છે. જેનો ઈતિહાસ 200 વર્ષ કરતા પણ જૂનો છે. રાજધાની ગાંધીનગરથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલા હાલિસા ગામે આવેલા આ કુવાનું નામ ભમરિયો કૂવો છે. કૂવાની રચના અને તેની બનાવટ આબેહૂબ છે.
આપણા રાજા મહારાજાઓ કેટલા દૂરદર્શી હશે ?
ભમરિયો કૂવો સાત માળ ઉંડો છે
મહેમદાવાદનો ઐતિહાસિક હાલિસાનો કૂવો પણ ઐતિહાસિક
હાલિસા ગામની પ્રાથમિક શાળા પાસે જ આવેલા ખ્યાતનામ ભમરિયા કૂવાને જોતા જ નવી ઊર્જાનો જાણે સંચય થતો હોવાનો અહેસાસ થાય છે. કૂવાની અંદરથી નિહાળતા જ મનમાં એ સવાલો થવા લાગે કે આપણા રાજા મહારાજાઓ કેટલા દૂરદર્શી હશે ? સાથે જ એ બાંધકામ કેટલું મજબૂત બનાવ્યું હશે જે વર્ષો પછી પણ આપણી સામે છે.
ભમરિયા કુવાની કેવી છે ડિઝાઈન?
ભમરિયા કુવાની ડિઝાઈનની જો વાત કરવામાં આવે તો સામ સામે બંન્ને દીશામાં કૂવામાં પ્રવેશદ્વાર છે. આશરે 15થી 18 વ્યાસ અને 90થી 100 ફુટ વ્યાસ ઉડાઈ ધરાવે છે. કૂવો સાત માળ ઉંડો છે. ઝરૂઘાની બનાવટ પણ અજબ છે. ભમરિયા કૂવામાં આડા અવળા ભૂલ ભૂલામણી વાળા વળાંકો છે.
ભમરિયા કૂવા વિશે ન માત્ર દેશ પરંતુ ગુજરાતમાં પણ ઓછા લોકો જાણે છે. જે આપણી કમનસિબી કહેવાય. જે આપણી ઐતિહાસિક ધરોહર છે. તેને જ આપણે જાણતા નથી. અમે કૂવા વિશે એક એક વસ્તુ જાણી રહ્યા હતા. રાજા મહારાજાઓના સમયમાં જળસ્ત્રોત માટે કેવું ઉત્તમ આયોજન કરવામાં આવતું હતું. તેની ભમરિયો કૂવો સાબિતી કરે છે.
કૂવાના સાતમા માળે તળિયે બહું પાણી તો નથી. પરંતુ આપણી ખરાબ માનસિક્તા ક્ષતિ થતી હતી. કારણ કે આપણી ઐતિહાસિક ધરોહરને આપણે કેટલી સાચવીએ છીએ. તે અહીં સ્પષ્ટ જોવા મળતું હતું. તળિયે ગંદકી ફેલાવતો કચરો અમને જોવા મળ્યો. જો કે અમને એવું પણ જાણવા મળ્યું કે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ થોડા સમય પહેલા કૂવાની સાફ સફાઈ કરી હતી.
મહેમદાવાદનો ઐતિહાસિક હાલિસાનો કૂવો
મહેમદાવાનો હાલિસાનો કૂવો મહેમુદશાહ બેગડાએ બંધાવ્યો હતો. પ્રજાજનોને પાણી મળી રહે તે માટે બનેલો મહેમદાવાદનો આ કૂવો અષ્ઠકોણ આકારમાં 38 ફુટ જેટલો વ્યાસ ધરાવે છે. સાંકડા પગથીયા દ્વારાથી સીધા કુવા ઉતરી શકાય છે. જો કે હાલ આ કૂવાને પુરાતત્વ વિભાગે રક્ષિત કરી લીધો છે.