મિત્રતા પણ એક ધર્મ છે અને મિત્રના મૃત્યુ પછી પણ તેનો સાથી પોતાનો આ ધર્મ નિભાવી રહ્યો છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ચાતુર્ભટ્ટા ગામના પંડિત નરેશ દુબેએ સડક અકસ્માતમાં અવસાન પામેલા તેમના મુસ્લિમ મિત્ર સૈયદ વાહિદ અલીના તર્પણ અને શ્રાદ્ધ હિન્દુ રીતિ રિવાજથી કરીને તેમના સદગતિના ઉપાયો કરી રહ્યા છે.
પિતૃપક્ષ માટે તેમણે 7 દિવસ માટે શ્રીમદભાગવત કથાનો પાઠ કરાવ્યો હતો અને ચોથા દિવસે મિત્રને તર્પણ આપીને તિલાંજલિ આપી.
દોઢ વર્ષ પહેલા સડક અકસ્માતમાં દોસ્ત અને પત્નીની મોત થઇ હતી
પંડિત રામનરેશ દુબેના મિત્ર સૈયદ વાહિદ અલીની 62 વર્ષની ઉંમરે મોત થઇ ગઈ હતી. તેમના દોસ્તની મોતથી તેઓ ખિન્ન થઇ ગયા. તેમણે વિચાર્યું કે દોસ્તનું અકાળે અવસાન થયું છે માટે તર્પણ જરૂરી છે. પિતૃપક્ષ આવ્યા અને તેમના પિતૃઓ સાથે તેમણે વાહિદ અલીનું પણ તર્પણ કર્યું. આખરે વાહિદ તેમનો બાળપણનો દોસ્ત હતો. જીવનની તડકી છાંયડીમાં વાહિદ તેમના પક્ષે ઉભા હતા.
સાત દિવસ સુધી શ્રીમદભાગવત કથાનો પાઠ કરાવ્યો
તેઓ તેમના મિત્રની આત્માની શાંતિ ઇચ્છતા હતા આથી તેમણે સાત દિવસ સુધી શ્રીમદભાગવત કથાનો પાઠ કરાવ્યો. કથાના ત્રીજા દિવસે તેમની પત્ની અને અન્ય પૂર્વજોને પણ તિલાંજલિ આપી. તેમણે કહ્યું કે વાહિદ ફક્ત વકીલ જ નહીં પણ નેક માણસ હતા. તેમણે કદી પૈસાને મહત્વ આપ્યું નથી.
મિત્રતાની મિસાલ છે
મધ્યપ્રદેશ સાગર મુફ્તી એ શહર મુફ્તી તારીક અહમદે કહ્યું કે મિત્રતાને કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. જો કે હિન્દુ ભાઈ પોતાના દોસ્ત માટે કાંઈક કરી રહ્યો છે તો આ ભાઈચારાની મિસાલ છે. સૌએ આમાંથી ઉદાહરણ લેવું જોઈએ.