CBSE 12ના ફાઈનલ રિઝલ્ટ તૈયાર કરતા પહેલા વિદ્યાર્થીઓને બતાવ્યા વગર વેયટેઝ ફોર્મ્યુલામાં ફેરફાર કરવા પર હાઈકોર્ટે સીબીએસઈનો ઉધડો લીધો હતો.
દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડનો ઉધડો લીધો
સીબીએસઈએ વેયટેઝ ફોર્મ્યુલામાં ફેરફાર કર્યો
વિદ્યાર્થીઓને કોઈ પણ જાણ વગર આ કામ કરી નાખ્યું
CBSE 12ના ફાઈનલ રિઝલ્ટ તૈયાર કરતા પહેલા વિદ્યાર્થીઓને બતાવ્યા વગર વેયટેઝ ફોર્મ્યુલામાં ફેરફાર કરવા પર હાઈકોર્ટે સીબીએસઈનો ઉધડો લીધો હતો. સીબીએસઈએ 5 જૂલાઈના રોજ એક સર્કુલર જાહેર કર્યું હતુ કે, શૈક્ષણિક વર્ષ 2021-22માં ટર્મ-1 અને ટર્મ- 2ની પરીક્ષાઓના બરાબર 50-50 ટકા વેયટેઝ આપવામા આવશે. પણ પરિણામની જાહેરાતના એક દિવસ પહેલા 21 જૂલાઈ 2022ના રોજ ભલામણ કરવામા આવી હતી કે, વેયટેઝ ફોર્મ્યુલા 30-70 ટકા હોવી જોઈએ.
જસ્ટિસ ચંદ્રધારી સિંહે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, બોર્ડના વલણમાં મોટી ખામીઓ છે. તેમણે સુસ્ત વલણ અપનાવ્યું છે. આ દોડ પુરી થયા બાદ દોડના નિયમો ફેરવવા જેવુ છે. હાઈકોર્ટે કહ્યું કે, એવું કંઈ પણ રેકોર્ડમાં નથી, જે એ બતાવે છે કે, સીબીએસઈના અધ્યક્ષ અથવા કોઈ સક્ષમ અધિકારીએ નવા વેયટેઝના સંબંધમાં ભલામણને સ્વિકાર, લાગૂ કરવા અને નોટિફાઈ કરવા માટે આવો કોઈ આદેશ પસાર કર્યો હતો.
આ છે સમગ્ર મામલો
કોર્ટે એક વિદ્યાર્થીની અરજી પર પોતાના આદેશમાં કહ્યું છે કે, બોર્ડ તેનું પરિણામ 5 જૂલાઈ 2021ના જાહેર ફોર્મ્યુલા અનુસાર કરે. વિદ્યાર્થીઓને પોતાની અરજીમાં બોર્ડ દ્વારા ઘોષિત 12માના પરિણામને પડકાર આપવામા ંઆવ્યો હતો. તેણે 5 જૂલાઈ 2021ના રોજ જાહેર કરેલા સર્કુલર મુજબ ટર્મ-1 અને ટર્મ-2 થ્યોરીની પરીક્ષાને બરાબર 50-50 ટકા વેયટેઝ આપીને પરિણામ ઘોષિત કરવાની માગ કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, તે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં સંશોધિત વેયટેઝ ફોર્મ્યુલામાં હસ્તક્ષેપર નથી કરી રહ્યા.