સરકારે ભલે નેશનલ લોકડાઉન ન લગાવ્યું હોય પણ સરકારના આ નિર્ણયના કારણે અનેક ઓટો કંપનીના કારખાના બંધ કરવાની જાહેરાત થઈ છે.
સરકારે લાગૂ નથી કર્યું નેશનલ લોકડાઉન
દેશની 5 ઓટો કંપનીએ કર્યા કારખાના બંધ
કારખાના બંધ થતા તેનું કરાશે મેન્ટેનન્સ
કોરોનાની બીજી લહેરમાં કેટલાક રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કર્યુ છે પણ કેન્દ્ર સરકારે લોકડાઉનની મનાઈ કરી છે. સરકારના આ નિર્ણયના કારણે ઓટો કંપનીએ પોતાના કારખાના બંધ કરવાની જાહેરાત કરી છે અને તે સમયનો ઉપયોગ વાર્ષિક મેન્ટેનન્સ માટે કરવાનું નક્કી કર્યું છે.
સરકારના આ નિર્ણયની અસર કંપનીઓ પર થઈ રહી છે
દેશમાં ઓક્સીજનની અછતને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે તરલ ઓક્સીજનના ઉદ્યોગના ઉપયોગ પર રોક લગાવી છે. આ નિર્ણય બાદ દેશમાં 25 એપ્રિલથી ઉદ્યોગમાં ઉપયોગમાં આવનારા તરલ ઓક્સીજનને પણ મેડિકલ જરૂરિયાત માટે આપવામાં આવશે. ઓટો કંપનીઓ ઓક્સીજનનો ઉપયોગ ઓછો કરે છે અને છતાં સરકારના આ નિર્ણયની અસર કંપનીઓ પર થઈ રહી છે.
એક પ્રકારનું જાહેર કર્યા વિનાનું લોકડાઉન
ઓટો કંપનીના કારખાનામાં ભલે ઓક્સીજનનો ઉપયોગ વધારે ન થતો હોય પણ આ નિર્ણય તેમને અસર કરી રહ્યો છે. એક ઓટો કંપનીના ફ્લોર મેનેજરે કહ્યું છે કે આ એક પ્રકારનું જાહેર કર્યા વિનાનું લોકડાઉન છે. જો અમે ઓક્સીજનનો ઉપયોગ જ નહીં કરી શકીએ તો કારખાનામાં કામ થશે નહીં. જ્યાં સુધી સરકારના આ પ્રતિબંધ ખતમ નહીં થાય ત્યાં સુધી કારખાના બંધ રહેશે. આશા છે કે આ નિર્ણય એક પખવાડિયાથી વધારેનો નહીં હોય.
દેશની 5 ઓટો કંપનીઓ બંધ કર્યા કારખાના
દેશની સૌથી મોટી ટુ વ્હીલર કંપનીઓએ સરકારના નિર્ણય પહેલાથી કારખાના બંધ કર્યા છે. કંપનીએ 22 એપ્રિલથી 1 મેની વચ્ચે કારખાના 4 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર, મારુતિ સુઝુકી ઈન્ડિયા, એમજી મોટર્સ અને ટોયાટો કિર્લોસ્કરે પણ મશીનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સમય પહેલા જ કરી લેવાશે મેન્ટેનન્સ
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ પોતાના ગુજરાત અને હરિયાણાના કારખાના બંધ કરવાની કારણે દ્વી વાર્ષિક મેન્ટેનન્સને સમય પહેલા કરી લેવાનું નક્કી કર્યું છે. પહેલા આ મેન્ટેનન્સ જૂનમાં થવાનું હતું કંપનીનું કહેવું છે કે તેનાથી દેશમાં મળનારા સૌથી વધારે ઓક્સીજનને જરૂરિયાત વાળા લોકોને પહોંચાડવામાં મદદ મળશે.
આ 2 કંપનીઓએ લીધો મોટો નિર્ણય
ટોયોટો કિર્લોસ્કર મોટરે પણ કર્ણાટકના બંને કારખાનાને 26 એપ્રિલથી 14 મે અને એમજી મોટર્સે ગુજરાતના કારખાનાને 7 દિવસ માટે બંધ કર્યા છે. જેથી કોરોના સંક્રમણની ચેઈનને તોડી શકાય.
હોન્ડા મોટર્સ મે મહિનાના પહેલા પંદર દિવસમાં બંધ કરશે કારખાના
હોન્ડા મોટર્સે પણ પોતાના 4 કારખાનાને મે મહિનાના પહેલા પખવાડિયામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની જાહેરાત કરી છે કે આ બંધના સમયે કારખાનાનું મેન્ટેનન્સ કરાશે અને સાથે કામકાજ વર્ક ફ્રોમ હોમથી થશે.