મુંબઇ: બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન લાંબા સમયથી પડદા પરથી ગુમ હતો. બે વર્ષ બાદ એ અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જિયા'થી બોલીવુડમાં ફરીથી એન્ટ્રી કરી રહ્યો છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એને ફિલ્મમાંથી બ્રેક લેવાનું કારણ કહ્યું. આટલું જ નહીં અભિષેકે એવું પણ જણાવ્યું કે એના એક નિર્ણયથી ઐશ્વર્યાનું શું રિએક્શન હતું.
અભિષેકે કહ્યું 'હું મારા કરિયરમાં હવે કંઇક અલગ કરવા ઇચ્છું છું.' પહેલા મારી જે ફિલ્મો રિલીઝ થઇ એની ચોઇસને બદલવા ઇચ્છુ છું. હું એવી ફિલ્મની શોધમાં હતો જેનાથી મારી કરિયરને એક દિશા મળે.
અભિષેકે આગળ જણાવ્યું કે 'સારી ફિલ્મ માટે મેં ખૂબ રાહ જોઇ. એ દરમિયાન પરિવારે પૂરો સપોર્ટ કર્યો. મારા બ્રેક લેવાના નિર્ણય પર પાપાએ પણ ખૂબ સપોર્ટ કર્યો કારણ કે એ પણ આવું કરી ચૂક્યા છે. એમને સારી ફિલ્મ માટે આશરે 5 વર્ષ રાહ જોઇ.'
અભિષેકના બ્રેકના નિર્ણય પર ઐશ્વર્યાનું રિએક્શન પૂછવા પર અભિષેકે કહ્યું કે ઐશ્વર્યાએ પણ મારો સાથ આપ્યો અને મને સપોર્ટ કર્યો. જણાવી દઇએ કે થોડાક દિવસો અગાઉ 'મનમર્જિયા'નું ફર્સ્ટ લુક સામે આવ્યું હતું જેમાં અભિષેક સરદારના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં એની સાથે તાપસી પન્નૂ નજરે જોવા મળશે.