વિશ્વમાં ઘણા એવા સ્થાનો છે, જેના વિશે ગજબ દાવા કરવામાં આવે છે. આવી એક જગ્યા તુર્કીના પ્રાચીન શહેર હેરાપોલિસમાં છે. અહીં એક પ્રાચીન મંદિર છે, જેને લઇને દાવો કરવામાં આવે છે કે અહીં નર્કનો દરવાજો છે. આ સ્થાન વિશે કહેવામાં આવે છે કે જો કોઈ માણસ આ મંદિરમાં જતો રહે છે તો તેની લાશ પણ મળતી નથી.
તુર્કીના પ્રાચીન શહેર હેરાપોલિસમાં છે એક ભયનજક મંદિર
આ મંદિરને કહેવામાં આવે છે નર્કનો દરવાજો
આ મંદિરના સંપર્કમાં આવતા જ મનુષ્ય અને પશુ-પક્ષીના થાય છે મોત
મંદિરમાં ઘુસતા જ થાય છે મોત
મહત્વનું છે કે આ મંદિરને નર્કનો દરવાજો એટલા માટે કહેવામાં આવે છે કે અહીં છેલ્લાં ઘણા વર્ષોથી રહસ્યમયી રીતે મોત થઈ રહ્યાં છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જો કોઈ મંદિરના સંપર્કમાં આવી જાય છે તો કોઈ પણ પશુનુ મોત થાય છે. આ મંદિર અંગે લોકોનું માનવુ છે કે દરેક માણસોના મોત યૂનાની દેવતાના ઝેરીલા શ્વાસના કારણે થઇ રહ્યાં છે. ગ્રીક રોમન કાળમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો કે કોઈ પણ માણસ આ મંદિરની પાસે ગયો તો તેનુ માથુ અલગ કરી દેવામાં આવશે.
મંદિરના દરવાજાને નર્કનો દ્વાર માને છે લોકો
કહેવાય છે કે આ મંદિરના સંપર્કમાં આવતા જ મનુષ્યથી લઇને પશુ-પક્ષી પણ મૃત્યુ પામે છે. અહીં સતત થતા મોતને કારણે લોકો આ મંદિરના દરવાજાને નર્ક કા દ્વાર કહે છે. ઉલ્લેખનીય છે કે ગ્રીક, રોમનકાળમાં પણ લોકો મોતના ડરના કારણે અહીં જતા ડરતા હતા.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ઉકેલ
જોકે, વૈજ્ઞાનિકો દ્વારા લોકોના મોતનુ રહસ્ય શોધી કાઢવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે મંદિરની નીચેથી સતત ઝેરી કાર્બન ડાયોકસાઈડ ગેસ લીક થઇને બહાર આવી રહી છે. જેનાથી સંપર્કમાં આવતા મનુષ્ય અને પશુ-પક્ષીઓના મોત થાય છે. વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, મંદિરની નીચે બનેલી ગુફામાં ખૂબ મોટી માત્રામાં કાર્બન ડાયોકસાઈડ ગેસ મળી આવી છે. જ્યાં સામાન્ય રીતે માત્ર 10 ટકા કાર્બન ડાયોકસાઈડ કોઈ પણ માણસને અંદાજે 30 મિનિટમાં મોતની ઉંઘ ઉંઘાડી શકે છે. તો ગુફાની અંદર આ ઝેરીલી ગેસની માત્રા 91 ટકા છે.