મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર પાણી ભરાયા છે. જેને લઇ સુરતથી મુંબઇ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પડી છે. અને મોટાભાગની ટ્રેન 2થી 3 કલાક મોડી ચાલી રહી છે. જેમાં રણકપુર એક્સપ્રેસ 2.30 કલાક મોડી પડી છે. ગ્વાલિયર વિકલી 2.15 કલાક મોડી પડી, ગુજરાત એક્સપ્રેસ 50 મિનિટ મોડી, કચ્છ એક્સપ્રેસ 2 કલાક મોડી પડી છે. કર્ણાવતી એક્સપ્રેસ 34 મિનિટ અને દાદર વેસ્ટર્ન એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડી છે. જ્યારે બિકાનેર એક્સપ્રેસ 1.10 કલાક મોડી છે. તો સુરત-વિરાર શટલ પણ રદ કરી દેવાઇ છે. આ ઉપરાંત વલસાડ-વાપી પેસેન્જર રદ કરવામાં આવી છે. જેને લઇ યાત્રીઓ અટવાયા છે.