કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મિશન માફક કોરોના રસીકરણ અભિયાન ચલાવ્યું છે, જેથી કોરોનાને કંટ્રોલમાં કરી શકાય સરકારે તેની સાથે જ શુક્રવારે તમામ રાજ્યોમાં જૂથી બે મહિના લાંબા હર ઘર દસ્તક અભિયાન 2.0ની યોજના બનાવાની સલાહ આપી છે.
ભારતમાં રસીકરણ અભિયાન બન્યું વેગવંતુ
રસીકરમ અભિયાન 2.0ની શરૂઆત
મંત્રાલયે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રેદેશોને આપ્યા આ આદેશ
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મિશન માફક કોરોના રસીકરણ અભિયાન ચલાવ્યું છે, જેથી કોરોનાને કંટ્રોલમાં કરી શકાય સરકારે તેની સાથે જ શુક્રવારે તમામ રાજ્યોમાં જૂથી બે મહિના લાંબા હર ઘર દસ્તક અભિયાન 2.0ની યોજના બનાવાની સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આહ્વાન કર્યું છે કે, તે પાત્ર લાભાર્થીઓને કોવિડ 19 વિરોધી રસીકરણના અભિયાનને વેગ આપે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સલાહ આપી છે કે, એ નક્કી કરવું જોઈએ,જેથી કોઈ પણ કિંમત પર કોવિડ 119 વિરોધી રસીના ડોઝ બેકાર ન જાય. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કહ્યું છે કે, આ એક્ટિવ દેખરેખ હેઠળ અને જે ડોઝની તારીખ નજીક છે, તેમને પહેલા ઉપયોગમાં લેવામાં આવે.
સ્વાસ્થ્ય સચિવે હાલમાં કોરોનાના કેસોમાં આવેલી કમીને જાળવી રાખવા માટે તાત્કાલિક મિશનની માફક રસીકરણ અભિયાન ચલાવવા પર ભાર આપ્યો છે. નિવેદનમાં કહેવાયુ છે કે, ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે મહિના લાંબા હર ઘર દસ્તક અભિયાન 2.0ની યોજના બ્લોક અને ગામ સ્તર પર વિસ્તૃત કાર્યયોજનાની સાથે બનાવાની સલાહ આપી છે.
સરકારે તમામ ડોઝ લેવા પર ભાર આપ્યો
નિવેદન અનુસાર, હર ઘર દસ્તક 2.0 અભિયાનનો ઉદ્દેશ્ય ઘર-ઘર જઈને વસ્તીને પ્રથમ ડોઝસ બીજો અને બૂસ્ટર ડોઝ લગાવાનો છે. મંત્રાલયે આ દરમિયાન વૃદ્ધાશ્રમ, શાળાઓ, યુનિવર્સિટીઓ, કારીગરો, ઈંટ ભટ્ટામાં કામ કરતા લોકો પર ભાર આપ્યો છે.
16,25,744 લોકોને આપવામા આવ્યા બૂસ્ટર ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ- 19 વિરોધી રસીના 191.91 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરૂવાર સાંજે સાત વાગ્યા સુધીમાં 13 લાખથી વધારે ડોઝ આપ્યા હતા. 18-59 વર્ષની ઉંમરના લોકોને કુલ 47,761 બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે, અત્યાર સુધીમા આ વર્ગના લોકોને 16,25,744 બૂસ્ટર ડોઝ આપી દેવામાં આવ્યા છે. ભારતે 10 એપ્રિલના રોજ ખાનગી કેન્દ્રો પર 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોવિડ 19ના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું હતું.