કોવિડ-19ને લઈને કેન્દ્રએ 6 રાજ્યોને આદેશ મોકલ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે 6 રાજ્યોને આપ્યો આદેશ
કોવિડ-19નાં વધી રહેલા કેસને લઈને આદેશ
કોવિડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવા સૂચન
કોરોનાનાં વધતાં મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તેલંગાણાનાં મુખ્ય સચિવને ચિઠ્ઠી લખીને જરૂરી સાવચેતી અને કોવીડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી છે.
6 રાજ્યોને આપ્યો આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલયનાં ગાઈડલાઈન અનુસાર ટેસ્ટ કરાવવું, કોરોનાનાં કેસને સતત મોનિટર કરવું, નવા ફ્લૂ, વાયરસ કે ઈન્ફ્સૂએંઝાની મોનિટરિંગ, જીનોમ સીકેંસિંગ અને કોવિડ અનૂકુળ વ્યવહાર અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. જેના કારણે વાયરસ ફેલાવાનો રિસ્ક પણ વધી રહ્યો છે. ઈન્ફેક્શનને ફેલાતો અટકાવા માટે આ રાજ્યોમાં કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વધી રહ્યાં છે કોવિડનાં એક્ટિવ કેસો
કર્ણાટકમાં 15 માર્ચ સુધીમાં કોવિડનાં કેસો વધીને 604 નોંધાયા હતાં. જ્યારે મહારાષ્ટ્રમાં 668, ગુજરાતમાં આશરે 300 જ્યારે કેરળમાં આશરે 500 કોવિડનાં નવા કેસો નોંધાયા છે. તેલંગાણામાં આશરે 267 કેસો જ્યારે તમિલનાડુમાં આશરે 258 નવા કેસો સામે આવ્યાં છે.