ગુજરાતમાં કોરોના વાયરસનો વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ 55 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં એક કોરોનાના દર્દીનું મોત થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે નવસારીની મહિલાનું ઓપરેશન કરનાર ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે જામનગરમાં રાજકોટના અને અન્ય જગ્યાએથી લાવવામાં આવેલા સેમ્પલ નેગિટિવ આપ્યા છે.
અમદાવાદમાં 45 વર્ષિય મહિલાનું મોતઃ જયંતિ રવિ
રાજ્યમાં કુલ 55 કેસ નોંધાયા, આજે 8 પોઝિટિવ સામે આવ્યા
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
પત્રકાર પરિષદ યોજીને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 8 નવા કેસ પોઝિટિવ કુલ 55 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગાંધીનગરના 25 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટીવ અને વેરાવળના એક 65 વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે અમદાવાદમાં 45 વર્ષિય મહિલાનું મોત થયું છે. મહિલા અન્ય ગંભીર બિમારીઓથી પીડિત હતા. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ફેફસાની બીમારી હતી.
નવસારીની મહિલાનુ ઓપરેશન કરનાર ડોક્ટરને કોરાના પોઝિટિવ આવ્યો છે. 5 દિવસ પહેલા મુંબઈના ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા બાદ દંપતી નવસારીમાં આવીને હોમ કોરોન્ટાઈન હતા. અગાઉ ઓપરેશન કરનાર ડૉક્ટરના પિતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરને પણ કોરોનાં પોઝિટિવ આવ્યો છે. નવસારીના દંપતીએ આરોગ્ય વિભાગ જાણકારી આપી હતી. મહિલાના પરિવારના ત્રણ સભ્યોને સિવિલ આઈસોલેશનમાં દાખલ કરાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મક્કાથી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વિદેશથી વિમાની મુસાફરી કરી આવ્યા હોય તેમની ચકાસણી થઇ રહી છેઃ જયંતિ રવિ
વધુમાં તેમણે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સવાળા લોકોનું ટ્રેસિંગ થઇ રહ્યું છે. 27 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જેઓ વિદેશથી વિમાની મુસાફરી કરી આવ્યા હોય તેમની ચકાસણી કરવામાં આવી રહી છે.
4,91,42,232 લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યુંઃ જયંતિ રવિ
13742 લોકોનો 14 દિવસનો ક્વોરોન્ટાઇન સમય પૂર્ણ થયો છે. 657 લોકો સરકારી હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન હેઠળ છે. 18497 હોમ ક્વોરોન્ટાઇન હેઠળ છે. 4,91,42,232 લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. 69,683 લોકો પ્રવાસી વિગત ધરાવે છે. ઇન્ટર સ્ટેટ ટ્રાવેલ્સના 176 લોકો વિદેશ પ્રવાસ કર્યો છે. 176 લોકોમાં લક્ષણો જોવા મળ્યા છે.
55 કેસ પૈકી 28 વિદેશથી પરત ફરેલાઃ આરોગ્ય વિભાગ
કોરોના વાયરસ મુદ્દે આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 1067 કેસ ટેસ્ટ કરાયા છે જેમાંથી 55 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં અમદાવાદ 18, સુરત 7, રાજકોટ 8, વડોદરા 9, ગાંધીનગર 9, કચ્છ-ભાવનગર 1-1, ગીર સોમનાથ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. 55 પૈકી 24 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જ્યારે 28 કેસ વિદેશથી પરત ફરેલા છે.