30 વર્ષની ઉંમર બાદ શરીરમાં ઘણાં ફેરફાર આવવા લાગે છે. જેથી આવા સમયે ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે, ખાસ કરીને પ્રોટીન ઈન્ટેક પર અને વેજિટેરિયન માટે પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન પનીર છે. તેમાંથી ભરપૂર પોષક તત્વો મળી રહે છે. તો ચાલો જાણી લો ફાયદા.
રોજ ખાવું જોઈએ પનીર
ડાયટમાં 1 ટુકડો ખાઈ લેશો તો રહેશો સ્વસ્થ
પોષક તત્વોથી ભરપૂર છે પનીર
જે લોકો નોનવેજ નથી ખાતા તેમણે ડાયટમાં પ્રોટીન અવશ્ય સામેલ કરવું. 100 ગ્રામ પ્રોટીનમાં 20.7 ગ્રામ ફેટ, 18.5 ગ્રામ પ્રોટીન, 208 મિગ્રા કેલ્શિયમ અને 265 ગ્રામ કેલરી હોય છે. રોજ પનીરનો એક ટુકડો ખાવાથી ભૂખ નથી લાગતી. આ સિવાય બોડી બિલ્ડિંગ કરતા લોકો માટે પણ પનીર ખૂબ જ ફાયદાકારક છે.
મેમરી વધારે છે
પનીરમાં રહેલું સેલેનિયમ અને પોટેશિયમ મગજ માટે જરૂરી છે. પનીરનું રોજ સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.
હાર્ટ માટે લાભકારી
પનીરમાં પોટેશિયલ હોય છે જે બીપીને કંટ્રોલ કકકરે છે. સાથે જ તેમાં રહેલાં હેલ્ધી ફેટ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. એવામાં આનાથી હાર્ટથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે.
આર્થ્રાઈટિસ
પનીરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3,6 ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. એવામાં તેનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે. સાથે જ આર્થ્રાઈટિસ થવાનો ખતરો ઓછો થાય છે.
મજબૂત દાંત અને હાડકાં
કેલ્શિયલથી ભરપૂર પનીરનું રોજ સેવન કરવાથી દાંત અને હાડકાં મજબૂત રહે છે. સાથે જ દાંતમાં કેવિટી થવાની સમસ્યાને પણ રોકે છે.
વજન કંટ્રોલમાં રાખે છે
રોજ પનીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓવરઈટિંગ થતું નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.
મેનોપોઝમાં લાભકારી
મહિલાઓ મેનોપોઝ આવતા કેલ્શિયલની કમીની સમસ્યા થવા લાગે છે. એવામાં આવા સમયે રોજ થોડું પનીર ખાી લેવાથી કેલ્શિયલની કમી થતી નથી અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ પણ શરીરને મળે છે.