મોટાભાગે તમે જોયું હશે કે તમારે પૈસાની ખૂબ જરૂર હોય તો ઝડપથી દોડતાં એટીએમની લાઇનમાં લાગી જાવ છો અને કલાકો સુધી રાહ જોયા બાદ જ્યારે તમારો નંબર આવે છે તો પૈસા નિકાળ્યા બાદ તમને ફાટેલી નોટ એટીએમમાથી પ્રાપ્ત થાય છે. એવામાં આટલા સમયથી લાઇનમાં ઊભા રહીને જ્યારે આવી ફાટેલી નોટ મળે છે તે જોઇને તમારું દિમાગ ખરાબ થઇ જાય છે.
એવામાં તમે સવાર સાંજ એવું વિચારો છો કે હવે શું કરવું જોઇએ. નોટ ક્યાં વાપરીશું. તો ચલો જણાવીએ આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઇએ.
એવામાં તમારે વધારે કઇ વિચારવાની જરૂર નથી. તમે સીધા એ પૈસા લઇને કોઇ પણ બેંકમાં જઇને બદલી શકો છો એ પણ કોઇ ચાર્જ વગર. તમને જણાવી દઇએ કે RBIની ગાઇડલાઇન્સ અનુસાર જો એટીએમથી કોઇ પણ પ્રકારે કોઇ ખરાબ નોટ નિકળે છે તો એની જવાબદારી માઊ અને માત્ર બેંકનો લોકોની હશે. એવામાં જે એજન્સી એટીએમમાં પૈસા નાંખે છે એની પણ કોઇ જવાબદારી રહેશે નહીં.
RBI રુલ્સ પ્રમાણે જો કોઇ બેંક વાળા એટીએમમાંથી નિકળેલી ફાટેલી નોટ લેવાની ના પાડે છે તો એની પર આરબીઆઇ રુલ્સ હેઠળ 10000નો દંડ પણ લાગી શકે છે.
એટલા માટે જો તમારી પાસે ક્યારેય પણ કોઇ સમસ્યા આવી જાય તો તો તમે સમય બરબાદ કર્યા વગર ચિંતા કર્યા વગર તમે બેંકમાં જાવ અને નોટો બદલાવી દો.