હાથરસ ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીને રિપોર્ટ દાખલ કરવામાં ફરી મોડું થયું છે. આ પહેલા રિપોર્ટ દાખલ કરવામાં 10 દિવસનો સમય વધારવામાં આવ્યો હતો.
એસઆઈટીને રિપોર્ટ દાખલ કરવામાં ફરી મોડું થયું
અગાઉ 10 દિવસનો સમય વધારવામાં આવ્યો હતો
આ રિપોર્ટ 17 ઓક્ટોબરે યુપી સરકારને સોંપવાનો હતો
એસઆઈટીએ 17 ઓક્ટોબરે પોતાનો તપાસ રિપોર્ટ સરકારે સોંપવાનો હતો. મનાઈ રહ્યું છે કે એસઆઈટીને હાથરસ કેસનો રિપોર્ટ સોંપવામાં ઓછામાં ઓછા 3 દિવસનો સમય લાગી શકે છે. એસઆઈટી હાથરસ મામલામાં તપાસ કરીને પાછી ફરી ચૂકી છે. પરંતું રિપોર્ટ તૈયાર કર્યો નથી.
હકિકતમાં 14 સપ્ટેમ્બરે હાથરસ ગેંગરેપ કાંડ થયો હતો. જ્યારે કે 29 સપ્ટેમ્બરે પીડિતાનું મોત થઈ ગયું હતુ. આ બાદ પોલીસે યુવતીનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. જેના કારણે વિવાદ થયો હતો. ત્યારે પીડિત પરિવારની સાથે તંત્ર પર પણ સવાલ ઉઠ્યા હતા.
આ વિવાદો બાદ ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે એસઆઈટીની રસના કરી હતી. એસઆઈટીને 7 દિવસની અંદર રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું. એસઆઈટીએ આ દરમિયાન અધિકારીઓ, પીડિત પરિવારના સભ્યો, ગ્રામીણો અને અનેક લોકો સાથે પુછપરછ કરી હતી.
એસઆઈટીની તપાસ માટે 10 દિવસનો વધુ સમય માંગ્યો હતો. એ બાદ એસઆઈટીને આ રિપોર્ટ 17 ઓક્ટોબરે યુપી સરકારને સોંપવાનો હતો. એસઆઈટીની શરુઆતની તપાસના આધારે હાથરસના એસપીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કેટલાક અધિકારીઓ પર એક્શન લેવામાં આવ્યા હતા.