જ્યોતિષમાં કોઇ વ્યક્તિની કુંડળી જોઇને સુખ તથા દુખના દિવસો અંગેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. આ સિવાય વધુ એક એવી વિદ્યા છે જેમાં વ્યક્તિ તા સ્વભાવ અને ભવિષ્યના સંદર્ભમાં ઘણું ખરું જણાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાને હસ્તરેખા જ્યોતિષ તરીકે ઓળખવામાં આવે છે. હસ્તરેખાના માધ્યમ થકી થનારી રેખાઓ તથા આકૃતિઓથી વ્યક્તિના ભાગ્યશાળી થવા અંગેની માહિતી જાણી શકાય છે.
જે લોકોની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થઇને પર્વત સુધી જાય તો તે વ્યક્તિ ખુબ જ ભાગ્યશાળી ગણાય છે. કામની ક્યારેય અછત નથી સર્જાતી અને પૈસા પણ ખૂબ જ કમાવી શકાય છે. જે લોકોની હથેળી ભારે તથા પહોળી હોય છે. સાથે આંગળીઓ કોમળ તથા નરમ હોય તો તે વ્યક્તિ ખૂબ જ ધનવાન હોય છે. આવા લોકોને ધનની ક્યારેય તંગી સર્જાતી નથી.
જે લોકોના હાથમાં સૂર્ય પર્વત ઉભરી આવ્યો હોય તથા સૂર્ય પર્વત પાસેથી કોઇ રેખા પસાર થતી હોય અને ગુરુ પર્વતને મળતી હોય આવા લોકો સરકારી અધિકારી બને છે તથા સંપત્તિ પણ કમાઈ શકે છે. જેની હથેળીમાં ત્રિભુજની આકૃતિ બનતી હોય તે ઉંચુ પદ પ્રાપ્ત કરે છે.
જો અંગૂઠા પર ચક્રનું નિશાન હોય તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય છે. તેને સફળતા ખૂબ ઝડપથી મળે છે અને તે પોતાના ક્ષેત્રમાં મહારથી સાબિત થાય છે.