મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં વેક્સીનની અછત છે. આ આરોપને લઈને ડો. હર્ષવર્ધન ભડક્યા છે અને કહ્યું કે લોકોમાં ભય ફેલાવવો એ મૂર્ખતા છે.
વેક્સીનની ખામીના આરોપને લઈને ભડક્યા હર્ષવર્ધન
લોકોમાં ભય ફેલાવવો એ મૂર્ખતા છેઃ હર્ષવર્ધન
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું રાજ્યમાં વેક્સીનની અછત છે
कोरोना के नियंत्रण के लिए महाराष्ट्र सरकार द्वारा ज़िम्मेदारी से कार्य न करना समझ से परे है।
वैक्सीन आपूर्ति की निगरानी लगातार की जा रही है और राज्य सरकारों को इसके बारे में नियमित रूप से अवगत कराया जा रहा है। इसके बावजूद लोगों में दहशत फ़ैलाना मूर्खता है।@PMOIndiapic.twitter.com/nHfO8vppqF
કોરોના વાયરસ મહામારીએ એક વાર ફરી દેશમાં તાંડવ શરૂ કર્યું છે. અન્ય લહેરમાં સૌથી પ્રભાવિત મહારાષ્ટ્ર છે. અહીં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે વેક્સીન ન હોવાથી લોકોને વેક્સીનેશન સેન્ટરથી પરત ફરવું પડે છે. તેઓએ કહ્યું કે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોનાની વેક્સીનનો સ્ટોક મેચ 3 દિવસનો બચ્યો છે. આ મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન ભડક્યા છે અને કહ્યું કે લોકોમાં ભય ફેલાવવો એ મૂર્ખતા છે.
લોકોમાં ભય ફેલાવવો એ મૂર્ખતા છે
મહારાષ્ટ્ર સરકારના આરોપ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોનાને નિયંત્રણને માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જવાબદારીથી કાર્ય ન કરવું એ સમજથી વિપરિત છે. વેક્સીનની આયાતની દેખરેખ સતત ચાલી રહી છે. રાજ્ય સરકારને નિયમિત રીતે તેની માહિતી આપવામાં આવી રહી છે આમ છતાં લોકોમાં ભય ફેલાવવો મૂર્ખતા છે.
इसी तरह हमें छत्तीसगढ़ के नेताओं द्वारा टिप्पणियां प्राप्त हुई हैं जिनका उद्देश्य टीकाकरण पर गलत सूचना देना और भय फैलाना है। बेहतर होगा कि राज्य सरकार राजनीति पर ध्यान देने की बजाय अपनी आधारभूत स्वास्थ्य संरचना पर जोर दें: केंद्रीय स्वास्थ्य मंत्री #COVID19pic.twitter.com/GEikdTIrVZ
મહારાષ્ટ્રમાં નબળું પડી રહ્યું છે વેક્સીનેશન
મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માન્યું કે રાજ્યમાં વેક્સીનની અછત છે. તેઓએ સરકાર પાસેથી 20 લાખ કોરોના વેક્સીનના ડોઝની માંગણી કરી છે અને કહ્યું કે કેન્દ્ર સરકાર અમને સમયસર વેક્સીન આપે. તેઓએ એમ પણ કહ્યું કે જે પણ ગાઈડલાઈન્સ કેન્દ્રની તરફથી આવી હતી તેનું પાલન થઈ રહ્યું છે. સંખ્યા વધી રહી છે અને વેક્સીનની અછત થઈ રહી છે.
20-40 વર્ષના લોકોને વેક્સીન લગાવવાની પરમિશન મળે
રાજેશ ટોપેએ કહ્યું કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની વેક્સીનનો સ્ટોક મેચ 3 દિવસનો બચ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વેક્સીનના 14 લાખ ડોઝ ઉપલબ્ધ છે. આ સ્ટોક 3 દિવસ ચાલશે અને પછી ખતમ થશે. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રમાં દર અઠવાડિયે કોરોના વેક્સીનની 40 લાખ ડોઝની જરૂર રહે છે. તેઓએ કહ્યું કે ઘરથી બહાર કામકાજ માટે જનારા 20-40 વર્શના લોકો હોય છે. એવામાં કેન્દ્ર સરકારને માંગ છે કે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન લગાવવાની પરમિશન અપાય.
Today, newly 59,907 patients have been tested as positive in the state. Also newly 30,296 patients have been cured today. Totally 26,13,627 patients are cured & discharged from the hospitals Total Active patients are 5,01,559 bThe patient recovery rate in the state is 82.36%.
મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 59907 નવા કેસ આવ્યા છે અને 322 લોકોના મોત થયા છે. આ સમયે 30296 લોકો સંક્રમણથી રાહત મેળવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના કુલ 31,73,261 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાંથી 5.01,559 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 26,13,627 લોકો સંક્રમણથી મુક્ત થયા છે તો 56652 લોકોએ જીવ ગુમાવ્યા છે.