કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધીને કેટલીક સ્પષ્ટતાઓ કરી આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વધારે કંઇ બોલવાનું ટાળ્યુ હતું
ભરતસિંહ સોલંકી બાબતે હર્ષ સંઘવીનું નિવેદન
હું એના વિષે નહિં બોલું- હર્ષ સંઘવી
પણ બધા લોકો બધું જ જાણે છે- હર્ષ સંઘવી
કોંગ્રેસના દિગ્ગજ નેતા હાલમાં તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેના પર્સનલ પ્રોબલેમ હવે જાહેરમાં આવી ગયા છે. બુધવારે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભરતસિંહના પત્ની અને અન્ય યુવતી પણ જોવા મળી હતી. આ વીડિયો બાદ તેમના પત્ની રેશમા પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. જે બાદ હવે ભરતસિંહે મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી છે. એક તરફ ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાએ પારિવારિક સમસ્યા અંગે ફોડ પાડવા પત્રકાર પરિષદ સંબોધી. જેને લઇને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
મારા પિતાની ઉંમરના છે ભરતસિંહ સોલંકી-સંઘવી
વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જ્યારે તેઓને ભરતસિંહ સોલંકી વિશે પૂછતા તેઓએ નિવેદન આપ્યું કે "ભરતસિંહ મારા પિતાની ઉંમરના છે. હું એમના વિશે કઇ નહી બોલું. રામ ભગવાન વિશે તેઓ શું બોલ્યા હતા તે સૌ કોઇ જાણે છે. તેઓ શું કરે છે તેના વિશે પણ કહેવાની કઇજરૂર નથી. બધા જ જાણે છે. મારા એ સંસ્કાર નથી હું તેમના મામલે કંઇ કહી શકું. મારી ઉંમર ઘણી નાની છે. પણ બધા લોકો બધુ જ જાણે છે. "
રેશમા પટેલનું નામ લીધા વિના કર્યા ગંભીર આક્ષેપ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો બુધવારના રોજ વાયરલ થયો હતો. જેમાં ભરતસિંહના ઘરે અન્ય યુવતી જોવા મળતા પત્ની રેશ્મા પટેલે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્નીનું નામ લીધા વિના ખુલાસો કરતા કહ્યું કે, 'મીડિયામાં આવી જવાથી કોઈ વાતનો નિકાલ આવવાનો નથી એટલે મે એવું વિચાર્યું કે ઘરની વાત ઘરમાં રહે. લગ્નજીવનમાં સમસ્યાવાળા દેશમાં કેટલાંય કુટુંબો છે. મારા નોકર-ચાકર અને મારા કાર્યકર્તાને મારા વર્તન વિશે પૂછી શકો છો. મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ. એમણે હંમેશા મારી મિલકતની જ ચિંતા જ કરી છે અને હું ક્યારે મરી જાઉં એની જ એ ચિંતા કરે છે. મારી વિરૂદ્ધ દોરા-ધાગા પણ કરવામાં આવ્યાં. મને એમ લાગ્યું કે મારા જીવને જોખમ છે ત્યારે મે નોટિસ આપી કે હું એમની સાથે નથી. આખા ગુજરાતમાં પૂછી લો કે મારો સ્વભાવ કેવો છે, મને કોઈ ગાળ બોલે તો પણ હું એક કરોડ રૂપિયા આપવા તૈયાર છું.'
મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારા ત્રીજા લગ્ન પણ થશે : ભરતસિંહ સોંલકી
વધુમાં જણાવ્યું કે, 'હોસ્પિટલમાં આવીને મને કહ્યું હતું કે મારી પ્રોપર્ટીનું શું? મારી કાર વેચી દઇને મારા ડ્રાઇવરને છુટ્ટો કરવામાં આવ્યો. મારી પત્નીને માત્ર મારી મિલકત અને નાણામાં જ રસ છે. મારા ભોજનમાં અને ચામાં પણ કંઇક નાખવામાં આવતું. બધાને લાગે છે કે મેં કાઢી મૂક્યા પણ હકીકત છે કે એ મારા ઘર પર કબજો કરીને રહે છે અને હું જૂના ઘરમાં રહું છું. 29-3થી તે ત્યાં રહે છે. હું એ યુવતી સાથે આઈસક્રીમ ખાવા ગયો હતો. મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. સત્ય ક્યારેય છુપું રહેતું નથી. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે.'