પેપરલીક મામલે DGP આશિષ ભાટિયાનું નિવેદન, પેપર સોલ્વ કરનાર અને ખરીદનાર સામે થશે કાર્યવાહી, ટુંક સમયમાં પર્દાફાશ કર્યો
પેપર લીક કેસમાં વિરોધ મુદ્દે બોલ્યા હર્ષ સંઘવી
આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર
કેટલાક લોકોને રોટલા શેકવા છે: સંઘવી
કોંગ્રેસ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે અને ગૌણ સેવાના ચેરમેન તેમજ ગુજરાત સરકાર પર આકારા પ્રહાર કરી રહી છે. તો પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે વિરોધ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે કેટલાક લોકો માત્ર રાજકીય રોટલા શેકવા આવ્યા છે. પોલીસે કાર્યવાહી કરી એટલે કેટલાકને પેટમાં દુ:ખે છે.AAP અને કોંગ્રેસ બંને પાર્ટીઓ હવે આ મુદ્દાને રાજકીય રૂપ આપી રહી છે.
ટૂંક સમયમાં કૌભાંડનો પર્દાફાશ થયો: DGP આશિષ ભાટિયા
હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક મામલે DGP આશિષ ભાટિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. અને પેપર સોલ્વ કરનાર અને ખરીદનાર સામે થશે કાર્યવાહી થશે. જેમના નામ સામે આવ્યા છે તેમની સામે કાર્યવાહી થશે. પ્રિન્ટિંગ પ્રેસ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પેપર કોને-કોને આપ્યા છે તેની તપાસ થશે.
5 વર્ષમાં 9 પેપર લીક થયા: કોંગ્રેસ
હેડ ક્લાર્ક પેપર લીક મામલે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. અને હેડ ક્લાર્કનું પેપર રદ કરવાની માગ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં 5 વર્ષમાં 9 પેપર લીક થયા છે.25 વર્ષની ભાજપ સરકારમાં બેરોજગારી આસમાને પહોંચી છે. LRD, સચિવાલયની પરીક્ષાના પેપર પણ લીક થયા હતા. એકવાર પેપર લીક થાય તો સમજી શકાય કે ભુલ થઇ. વારંવાર એમ 9 વખત પેપર લીક થવું તે કૌભાંડ છે. અને પહેલું રાજીનામું અસિત વોરાએ આપવું જોઇએ. પણ અસિત વોરાને ભાજપ સરકાર બચાવી રહી છે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે. અને મુખ્યમંત્રીએ બેરોજગાર યુવાનોની માફી માગવી જોઇએ. બેરોજગાર યુવકોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલું રહેશે.