કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગીતા વિશે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમના વિવાદિત નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, નેતાઓએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.
કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલના નિવેદન પર હર્ષ સંઘવીનો જવાબ
કેટલાક રાજકીય નેતાઓ ધાર્મિક અસ્થાને ઠેસ પહોચાડવાનું કરે છે કામ: હર્ષ સંઘવી
એક વડીલ આ પ્રકારે સ્ટેટમેન્ટ આપે તે અતિ નિંદનીય બાબત છે: ગૃહ રાજ્યમંત્રી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગુરુવારે દિલ્હીમાં એક પુસ્તકના લોકાર્પણ પ્રસંગે વિવાદ થાય તેવું નિવેદન આપ્યું છે. શિવરાજ પાટીલે કહ્યું હતું કે, જેહાદ માત્ર કુરાન નહીં પણ ગીતામાં પણ છે. જીસસમાં પણ જેહાદ છે. મહાભારતમાં શ્રી કૃષ્ણજીએ અર્જુનને જેહાદનો પાઠ પણ ભણાવ્યો હતો. તેમના નિવેદન પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે.
શિવરાજ પાટીલના નિવેદન પર સંઘવીની પ્રતિક્રિયા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'મને ખૂબ દુઃખ થાય છે કે પહેલા ભગવાન રામના ભક્તોને અને હવે મહાભારત, ભાગવત ગીતાને અગલ-અલગ વિષયો સાથે જોડવું એ યોગ્ય નથી. મંદિરો હોય કે પછી ભાગવત ગીતા હોય હંમેશા લોકોને મદદ કઈ રીતે પહોંચાડવી એજ પ્રકારની શિક્ષા અને સંસ્કાર અમને આપવામાં આવ્યા છે.'
નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ: હર્ષ સંઘવી
તેમણે કહ્યું કે, 'હું માનું છું ત્યાં સુધી કોઈ રાજનેતાએ કોઈ પણ ધર્મના લોકોની આસ્થા ન તૂટે તેનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. જે કોઈ નેતાએ આ પ્રકારના ભાષણોથી ખાસ કરીને ભગવાન કૃષ્ણના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે, તેને હું વખોડી કાઢું છું.'
શિવરાજ પાટીલે શું કહ્યું હતું?
પાટીલે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં જ નહીં, પરંતુ ગીતામાં પણ છે. બધા પ્રયત્નો પછી પણ, જો કોઈ સ્વચ્છ વિચારને સમજી શકતો ન હોય તો પછી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે ગીતાના ભાગમાં જેહાદ છે જે મહાભારતની અંદર છે.
#WATCH | It's said there's a lot of discussion on Jihad in Islam... Even after all efforts, if someone doesn't understand clean idea, power can be used, it's mentioned in Quran & Gita... Shri Krishna taught lessons of Jihad to Arjun in a part of Gita in Mahabharat: S Patil, ex-HM pic.twitter.com/iUvncFEoYB
મોદી સરકારના વખાણ કરતા કહ્યું- ઘણા સારા પગલાં લીધા
મોદી સરકારના વખાણ કરતા શિવરાજ પાટીલે કહ્યું કે આ સરકારે ઘણા મોટા પગલા લીધા છે જે સારા છે, તેમણે મોદી સરકારને વધુ સમય આપવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે પોતાનામાં મોટો ફેરફાર કરવો જોઈએ. શિવરાજ પાટીલે કહ્યું કે મારા મતે આતંકનો કોઈ ધર્મ નથી. તેમણે કહ્યું કે ખોટી વિચારધારા સમાજ માટે હંમેશા ખતરનાક હોય છે. માટે સમાજને એકજૂટ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
કોણ છે શિવરાજ પાટીલ?
શિવરાજ પાટીલની ગણતરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. તેઓ મહારાષ્ટ્રથી આવે છે. શિવરાજ પાટીલ લાતુરથી સાંસદ રહી ચૂક્યા છે. શિવરાજ પાટીલ 1980થી લઈને અત્યાર સુધી ઘણી વખત કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. 26/11ના મુંબઈ આતંકી હુમલા સમયે તેઓ ગૃહમંત્રી હતા. 2010માં શિવરાજ પાટિલને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા હતા.