ભલે ઓડકાર આવવો એ સામાન્ય બાબત હોય પરંતુ જમ્યા બાદ તરત આવતા ઓડકારને લીધએ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
અન્નનળીમાં હવા ભરાવાથી તે હવા મોઢાંમાં થઇને બહાર આવે છે. આ સમસ્યાથી બચવા માટે આરામથી ભોજન લેવું જોઇએ અને નાના-નાના કટકામાં ભોજન લેવું જોઇએ. જેનાથી પાચન યોગ્ય થઇ શકે.
વારંવાર ઓડકાર આવે છે તો તેની પાછળનું કારણ છે વધારે પ્રમાણમાં કામનું ભારણ અને ચિંતા. 70 ટકા લોકોના મૂડમાં બદલાવ આવવા પાછળનું કારણ છે ઓડકાર. જો આ બાબત પર ધ્યાન આપવામાં ન આવે તે ડિપ્રેશનમાં વધારો થઇ શકે છે.
વારંવાર ઓડકાર આવવાથી ઇરિટેબલ બાઉલ સિંન્ડ્રોમની બિમારી વધી શકે છે. આ બિમારીમાં વ્યક્તિને પેટનો દુખાવો, બેચેની, મળ ત્યાગમાં પરેશાની જેવી અનેક બિમારી થઇ શકે છે.
એસિડિટીના કારણે પણ વધારે પ્રમાણમાં ઓડકાર આવતા હોય છે. આ સમસ્યાથી લોકો વધારે પરેશાન થઇ જતાં હોય. આ પ્રકારની તકલીફથી પીડાતા લોકોએ ફાઇબર પુરી માત્રામાં લેવું જોઇએ.