2022ની ચૂંટણી પહેલા હાર્દિક પેટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. જેમા તેણે કહ્યું કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાવવામાં આવી છે. સાથેજ ચૂંટણી લડવા ભાજપ તેમની મદદ કરી રહ્યું છે.
ચૂંટણી પહેલા હાર્દિક પટેલનું મોટુ નિવેદન
આમ આદમી પાર્ટીને લઈને આપ્યું મોટુ નિવેદન
ભાજપ સામે કર્યા આકરા પ્રહાર
ગુજરાતનાં આવતા વર્ષે ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પણ ગમી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેણે એવું કહ્યું કે આમ આદમી પાર્ટી ખાલી એ વોટરોને વહેચવા આવી છે. જે ભાજપથી નારાજ છે. હાર્દિક પટેલના આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
કોંગ્રેસને ક્યારેય નહી છોડું: હાર્દિક
મીડિયા સમક્ષ હાર્દિક પટેલે એ વાત ક્લીયર કરી કે ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર કોઈ વિખવાદ નથી. સાથેજ તેણે એવું પણ કહ્યું કે મને પાર્ટીમાં કોઈ પણ પદની ઈચ્છા નથી. સાથેજ તે કોંગ્રેસને પણ ક્યારેય નહી છોડે.
દિલ્હીથી આપને મદદ મળી રહી છે: હાર્દિક
આમ આદમી પાર્ટી પર નિશાન સાંધતા હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં કોઈક તો છે જે તેમની મદદ કરી રહ્યું છે. સાથેજ તેણે એવું પણ કીધું કે મદદ કદાચ દિલ્હીથી મળી રહી છે. વધુમાં તેણે કહ્યું કે તેના બેનરો પણ ગુજરાતમાં લાંબા સમય સુધી લાગ્યા રહે છે. પરંતુ જો કોઈ બીજી પાર્ટી બેનર લગાવે તો તે બેનરોને તરત ઉતારી લેવામાં આવે છે.
ભાજપ નવી પાર્ટીઓને ચૂંટણીમાં ઉતારે છે : હાર્દિક
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે હાર્દિક પટેલે ભાજપ સામે આક્ષેપ કરતા કહ્યું કે છેલ્લી 3 ચૂટણીથી ભાજપ નવી પાર્ટીઓ બનાવીને ચૂંટણીમાં ઉતારે છે. અને ભાજપના લોકો સ્વતંત્ર સંગઠન બનાવીને ચૂંટણીમાં આવી જાય છે. જેના કારણે એંટી બીજેપીના વોટ પણ વહેચાઈ જાય છે.