ચૈત્ર માસની પૂનમે હનુમાનજીની જયંતિ ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 31 માર્ચે છે. એવી માન્યતા છે કે હનુમાનજી કલયુગમાં પણ જીવિત દેવતા છે. હનુમાનજી ખૂબ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. પરંતુ કેટલાક એવા સંજોગો છે જ્યારે હનુમાનજીની પૂજા કરતી વખતે વિશેષ સાવધાનિઓ રાખવી જોઇએ નહીં તો પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી.
હનુમાનજીની પૂજા એ સમયે વર્જિત માનવામાં આવે છે જ્યારે સૂતક લાગે છે. સૂતક ત્યારે માનવામાં આવે છે જ્યારે પરિવારમાં કોઇનું મૃત્યુ થઇ ગયું હોય. સૂતકના 13 દિવસમાં હનુમાનજીની પૂજા કરવી જોઇએ નહીં.
સ્મશાનથી આવ્યા બાદ ન્હાયા વગર હનુમાનજીની પૂજા કરવી જોઇએ નહીં. સાથે જ જો તમે દિવસભર તમારા કામના કારણે બહાર છો અને ઘરે આવ્યા બાદ ફ્રેશ થયા વગર હનુમાનજીની પૂજા કરો છો તો તમને પૂજાનું ફળ પ્રાપ્ત થશે નહીં.
હનુમાનજી પૂજા કરતી વખતે ક્યારેય પણ ગંદા અને અશુદ્ધ કપડાં પહેરીને પૂજા કરવી જોઇએ નહીં.