નવનીત રાણા અને તેના પતિ રવિ રાણા કેસમાં કોર્ટે જામીન અરજી પર ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ પોતાનો ચુકાદો સોમવારે સંભળાવશે.
મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા અને તેના પતિ જેલમાં બંધ
જામીન અરજી પર કોર્ટમાં થઈ હતી સુનાવણી
અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યો
નવનીત રાણા અને તેના પતિ રવિ રાણા કેસમાં કોર્ટે જામીન અરજી પર ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ પોતાનો ચુકાદો સોમવારે સંભળાવશે. લાંબી દલીલોના કારણે કોર્ટે આજે આદેશ સંભળાવ્યો નથી. હનુમાન ચાલીસા વિવાદને લઈને જેલમાં બંધ અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેના રવિ રાણાની જામીન અરજી પર મુંબઈ સેશંસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. રાણા દંપતિ તરફથી બે વકીલોએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તો વળી ખાર પોલીસ સ્ટેશનનો પક્ષ રાખવા માટે એસએસપી પ્રદીપ ધરાટ કોર્ટમાં હાજર રહ્યા હતા.
હનુમાન ચાલીસાને લઈને વિવાદ
મુંબઈ પોલીસે શુક્રવારે એક વિશેષ કોર્ટને જણાવ્યું હતું કે, અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિ રવિ રાણાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા સંબંધી પ્લાન સામાન્ય લાગી શકે છે, પણ હકીકતમાં તે રાજ્ય સરકારને પડકાર આપવું એક બહું મોટુ ષડયંત્ર હતું.
પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે, વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી અને ઠાકરે રાજકીય વિરોધી તેમને હિન્દુ વિરોધી તરીકે રજૂ કરવાની કોશિશ કરી રહ્યા હતા અને આ બતાવવા માગતા હતા કે, તે હાલમાં શાસનમાં હિન્દુઓ માટે પોતાના ધર્મનું પાલન કરવું મુશ્કેલ છે.
જેલમાં બંધ છે રાણા દંપત્તિ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કર્યા બાદ રાણા દંપતિને ગત શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. રાણા દંપતિએ પોતાનો પ્લાન સ્થગિત કરી દીધો હતો, પણ આઈપીસીની અલગ અલગ કલમમાં તેને ધરપકડ કરવામા આવ્યા છે અને જેમાં બે સમુદાય વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા તથા રાજદ્રોહ જેવા આરોપ લગાવેલા છે.