વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત શિવલિંગ મળવાના દાવા પર ભારે ચર્ચા ચાલી રહી છે. કોઈ શિવલિંગ કહી રહ્યું છે તો કોઈ ફૂવારો. આ વચ્ચે વધુ એક દાવો સામે આવ્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો મામલે IITના પ્રોફેસરે કર્યો મોટો દાવો
જે જગ્યા બતાવવામાં આવે તે ફૂવારો છે શિવલિંગ નહીંઃ મુસ્લિમ પક્ષ
બનારસની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થયા બાદ હવે અસલી ખેલ શરૂ થયો છે. સર્વેયરોએ સર્વે દરમિયાન મહત્વના પુરાવા તો અકઠા કર્યા છે પરંતુ હવે તેની સચ્ચાઈ સાબિત કરવાનો પડકાર ઊભો થયો છે. આ વચ્ચે બનારસ હિન્દૂ યુનિવર્સિટી આઈઆઈટીના મેટેરિયલ સાઇન્સ અને કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર આરએસ સિંહ અને એસોસિએટ પ્રોફેસર ચંદન ઉપાધ્યાયે જણાવ્યું કે શિવલિંગનું સત્ય શું હોઈ શકે છે?
કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર આરએસ સિંહે કહ્યું કે, મારો અંગત વિચાર એ છે કે આ શિવલિંગ છે, કારણ કે કેટલાક લોકો જો આને ફૂવારો કહી રહ્યા છે તો તેનું કારણ એ છે કે આ શિવલિંગ પર એક ફૂવારા નુમા આકૃતિ બનાવેલી છે. જો આને ફૂવારો માનવામાં આવે તો જૂના જમાનામાં વીજળી નહોતી.
પ્રોફેસર આરએસ સિંહે વધુમાં કહ્યું કે, જૂના જમાનના ફૂવારા ચલાવવા માટે પાણીને ઘણા ઉપરથી પાડવામાં આવતું હતું અને તે પ્રેશનના કારણે ફૂવારો આકાર લેતો હતો. જ્ઞાનવાપી પરિસરમાં કે વિશ્વનાથ મંદિરમાં એવી કોઈ સિસ્ટમ ફૂવારા ક્યારે નથી દેખાયા. શિવલિંગની ઉપર આ મને કંઇક સિમેન્ટ જેવું લાગી રહ્યું છે. આ ઉપર વાઇટ સીમેન્ટ જેવું રાખેલું છે.
પ્રોફેસર આરએસસિંહે વધુમાં કહ્યું કે, તે પથ્થરનું કોઈ કેમિકલ એનાલિસિસ નથી થયું એટલા માટે આ પન્ના છે કે નહીં, તેના પર સચોટ કંઇ કહી ન શકાય. આના રંગથી એવું લાગી રહ્યું છે કે આ ખુબ જૂનું છે અને ઘણા સમયથી પાણીમાં છે પરંતુ આ પથ્થર કયો છે તે કહેવું મુશ્કેલ છે.
પ્રોફેસરે કહ્યું કે, છેલ્લી વખત ટોડરમલે આ મંદિરને બનાવ્યું હતું. 400-450 વર્ષ પહેલા. તે સમયે કોઈ વીજળી ન હતી, તે સમયે પણ ફૂવારા બનતા હતા પરંતુ ત્યાં સુધી 100-150 ફૂટથી પાણી ઢોળવામાં નથી આવતું ત્યાં સુધી ફૂવારામાં પાણી ન આવી શકે.
પ્રોફેસરે કહ્યું કે, જુઓ આ ફૂવારો હોઈ શકે છે પરંતુ આટલા રેડિયસનો ફૂવારો હોવું અસંભવ છે, જો આ પૂવારો હશે તો તેની નીચે કોઈ સિસ્ટમ હશે. તેનું આખુ મિકેનિઝ્મ હશે. આ રિસર્ચનો વિષય છે કે આ પાણીની સપ્લાઈ કેવી રીતે થતી હશે. જો કોઈ માત્ર ફૂવારો બનાવશે તો બેઝમેન્ટમાં આખી સિસ્ટમ બની હશે.
પ્રોફેસરે કહ્યું કે, જો કોઈ દાવો કરી રહ્યું છે કે, આ ફૂવારો છે તો આને ઓપરેશનલ કરી શકાય છે, તેને ચલાવીને જોઈ શકાય છે, જે લોકો આને ફૂવારો કહી રહ્યા છે એજ આને ચલાવીને દેખાડી દે તો માની લઇએ કે આ ફૂવારો છે અને જો આ ફૂવારો નથી તો આ શિવલિંગ છે.
ત્યારે મેટેરિયલ સાઇન્સના એસોસિએટ પ્રોફેસર ચંદન ઉપાધ્યાયે કહ્યું કે, સાઇન્ટિફિક ઇન્સ્પેક્શન જરૂરી છે. ઉપરથી ફૂવારા જેવું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ઉપર વાઇટ સિમેન્ટ પણ હોઈ શકે છે. પીઓપી પણ હોઈ શકે છે. બાલૂ અને સિમેન્ટ કમીશનમાં પણ હોઈ શકે છે. તેની ઓળખ કરવી ખૂબ સરળ છે, જે બહુ છેડછાડ વગર સંભવ છે.
એસોસિએટ પ્રોફેસર ચંદન ઉપાધ્યાયે કહ્યું કે, જો આ ફૂવારો છે તો આમાં નોઝલ હોવા જોઈએ, જે નથી દેખાઇ રહી. પાઇપ હોવી જોઈએ. તે પણ નથી દેખાઇ રહી. આ શિવલિંગ પન્ના પથ્થર પણ હોઈ શકે છે પરંતુ જ્યાં સુધી તેની સમગ્ર રીતે તપાસ ન થયા ત્યાં સુધી સત્તાવાર રીતે આને કહી ન શકાય.