બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Pravin
Last Updated: 05:49 PM, 17 May 2022
કાશીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મામલો પણ જોર પકડતો જાય છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની અડીને આવેલી ઈદગાહ મસ્જિદની સુરક્ષા વધારવાની સાથે સાથે ત્યાં આવતા જતાં લોકો પર રોક લગાવી સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવાની માગને લઈને વાદી મહેન્દ્ર પ્રતાપ સિંહે મથુરા કોર્ટમાં અરજી દાખલ કરી છે.
કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ અને કોર્ટમા ંઅરજી દાખલ કરનારા વાદી મહેન્દ્ર પ્રતાપ સિંહે કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું કે, જેવી રીતે જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સામે આવ્યો છે, હવે કૃષ્ણ જન્મભૂમિની જમીન પર બનેલી ઈદગાહના ગર્ભગૃહને સીલ કરવામાં આવે. સાથે જ ડીએમ તથા એસએસપીને આદેશ આપવામા આવે કે, ત્યાં પોલીસફોર્સ તૈનાત કરીને પુરાવા સાથે છેડછાડની સંભાવનાને રોકવામાં આવે.
ઈદગાહ મસ્જિદનો સર્વે કરાવાની માગ
આપને જણાવી દઈએ કે, નારાયણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મનીષ યાદવ, અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ શર્મા અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાયના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની માફક શ્રીકૃષ્ણ જન્મભૂમિ તથા ઈદગાહ પ્રકરણમાં શાહી ઈદગાહ પર સર્વે કરવાની માગ કરી હતી. ત્રણેયે આ સંબંધમાં કોર્ટમાં અરજી આપી છે, જેમાં કહેવાયું છે કે, શાહી ઈદગાહ પરિસરમાં પણ કમિશન દ્વારા સર્વે કરવામાં આવે. કોર્ટે તેમની અરજી સ્વિકાર કરી લીધી છે અને એક જૂલાઈએ તેના પર નિર્ણય લેવાશે.
તેમણે આરોપ લગાવ્યો છે કે, તે ઈદગાહ પરિસરમાં એ પુરાવા નષ્ટ કરી શકે છે. જેમાં સ્પષ્ટ થાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર તોડીને અહીં ઈદગાહ તૈયાર કરવામાં આવી. આ સંબંધમાં અધિવક્તા કમિશન બનાવામા આવે. કોર્ટ પહોંચેલા મનીષ યાદવે જણાવ્યું હતું કે, કમિશન સંબંધી તેમની માગને અરજી પર એક જૂલાઈની તારીખ સુનાવણી માટે નક્કી કરવામા આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News