મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ફૂડ અને ઔષધ વહીવટીતંત્ર (FDA)ના પ્રધાન ગિરીશ બાપતે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ સરકાર હવે તેની વિરુદ્ધ કડક કાયદાઓ બનાવવાની તૈયારી કરી રહી છે.
નવા કાયદા મુજબ ગુટખા વેચનાર ગુનેગાર ગણાશે. તેને ત્રણ વર્ષની કડક સજા કરવામાં આવશે. ગિરીશ બાપતે કહ્યું હતું કે ગુટકાના કાયદાને કડક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી પણ મળી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં કાયદાને વધારે કડક બનાવશે.
હાલના કાયદા મુજબ ગેરકાયદેસર ગુટખાનું વેચાણ કરનારને છ મહિનાની જેલની જોગવાઈ છે. આ કારણે ગુટખા વેપારીઓની ધરપકડ પછી એક-બે દિવસમાં તેમને જામીન મળી જાય છે. પરંતુ નવા કાયદા બન્યા પછી ગુટખા વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે મૃત્યુ ગુટખાના કારણે થાય છે. અને કહ્યું કે રાજ્યમાં ગુટખા વેચવા પર પ્રતિબંધ છે છતાં પાડોશી રાજ્યોની સરહદથી ગુટખા લાવવામાં આવે છે. ગિરીશ બાપતે જણાવ્યું હતું કે વિભાગીય અધિકારીઓ ગુટકા પ્રતિબંધના કાયદાનું અમલ કરવામાં સમક્ષ નથી. કારણ કે મુંબઈ અને આજુબાજુના શહેરોમાં દરેક અધિકારીઓ 20-20 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે. તેના કારણે ગુટખાનો વેપાર ચાલી રહ્યો છે પરંતુ હવે અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે.